SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૭ અને અતિ આહરના દુરપણાથી તેને વિચિક થઈ. તેથી મોટી અરતિ ઉન્ન થઈ. પવનથી પુરાયેલી ધમણની જેમ, તેનું ઉદર પ્રફુલીત થયું. પવનને રાધ થયે અને માટે તૃષાને દાહ થયે તે વખતે આ પાપી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયે, એવું ધારી તેના મંત્રિ વિગેરેએ તેની ચિકિત્સા કરી નહી કે કરાવી નહીં. તેથી તે અતિ દુખથી પીડાવા લાગ્યું, અને મનમાં ચિંતવવા લાગ્યું કે, “જે. હું આ રાત્રિ કોઈપણ પ્રકારે નિર્ગમન કરૂં, તે પ્રાત:કાળે આ બધા અધિકારીઓને કુટુંબ સહિત મારી નંખાવું.” આવી રીતે કૃષ્ણલેખ્યાથી અને મહારૌદ્રધ્યાનથી તે મૃત્યુ પામીને, સાતમી નરકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થશે. તેથી હે સભાજને ! તપસ્વીઓને કૃશપણું હોય કે પુષ્ટ પણું હોય એવું કંઇ પ્રમાણુ નથી. શુભ ધ્યાનજ પરમ પુરૂષાર્થનું કારણભૂત છે.” આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેલું કુંડરીક અને અંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રમણના સામાનિક દેવે એક નિષ્ઠાથી શ્રવણ કર્યું. વૈશ્રમણે સમકિત પ્રાપ્ત કર્યું, અને ગૌતમ સ્વામીએ પિતાને અભિપ્રાય જાણે તેનો ખુલાસો કર્યો, તેથી હર્ષ પામી પુનઃ વંદન કરી તે પિતાના વથાન પ્રત્યે ગયે. આ પ્રમાણે દેશના આપી, અને રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી. ગૌતમ મુનિ પ્રાતઃકાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા. ગણધર મહારાજ અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે ચઢયા. તે અરસામાં કેતન્ય, દત્ત, અને સેવાળ વિગેરે પંદરસે તાપસે. પંદરેસે તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષને ની દીક્ષા. હેતુ સાંભળી તે ગિરી ઉપર ચઢવા આવ્યા હતા. તેમાં પાંચસે તપસ્વીઓ ચતુર્થ તપ કરીને આદ્ર કંદાદિનું પારણું કરતા હતા અષ્ટાપદની પહેલી મેખલા સુધી આવ્યા. બીજા પાંચસે તાપસે છઠ તપ કરી સુકા કંજદિનું પારણું કરતા છતા બાજુ મેખલા સુધી આવ્યા. ત્રીજા પાંચસો તાપસે અઠમ તપ કરી સુકી સેવાળનું પારણું કરતા For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy