SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસા તાપસાંત દીક્ષા. સ છતા ત્રીજી મેખલા સુધી આવ્યા. ત્યાંથી 'ચે ચઢવાને અશકત હોવાથી, તે ત્રણે સમૂહ પડેલી બીજી અને ત્રીજી મેખલાએ અદ્રકી રહ્યા. તેવામાં સુવણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગણુધર મહારાજને તેમણે આવતા દીઠા. તેમને જોઇ તે પરસ્પર કહેવા લાગ્યા કે, આપણે શરીરે કૃશ થઇ ગએલા છીએ; તથાપિ અહિં‘થી આગળ ચઢી શકતા નથી. તે આ સ્થુળ શરીરવાળા મૂર્તિ કેમ ચઢી શકશે ? આ પ્રમાણે તેએ વાતચીત કરે છે, તેવામાં તે ગણધર મહારાજ તે મહાગીરી ઉપર ચઢી ગયા, અને ક્ષણમાં દેવ માફક અદ્રશ્ય થઇ ગયા. પછી તેઓ પરસ્પર મેલ્યા કે આ મહર્ષિની પાસે કોઇ મહા શકિત છે,તેથી જો તે અહિં પાછા આવશે, તા આપણે તેમના શિષ્યા થઈશું'. આવે નિશ્ચય કરી, તે તાપસે એક ધ્યાને ખંધુની જેમ આદરથી તેમના પાછા આવવાની રાહ નઇ રહ્યા. ગધર મહારાજ મહાગિરી ઉપરથી ઉતરતા હતા, તે રાહે જોઇ રહેલા તાપસાએ દીઠા. ગણધર મહારાજ પાતાના નજીકના પ્રદેશમાં આવ્યા, ત્યારે તાપસેાએ તેમની પાસે જઇ પ્રણામ કરી વિન'તી કરી કે, હું તપેાનિધિ ! મહાત્મા ! અમે આપના શિષ્યા થવાની ઇચ્છા ધરાવીએ છીએ; આપ કૃપા કરી અમારી માગણી સ્વીકારી. “ જે સજ્ઞ પરમેશ્વર શ્રી મહાવીરપ્રભુ છે, તેજ તમારા ગુરૂ થાઓ. ” એમ ગૌતમસ્વામીએ તેમને કહ્યું. તાપસાએ આગ્રહ કર્યું કે અમને તે આપજ અહિં... દીક્ષા આપી આપના શિષ્ય બનાવી કૃતા' કરી. એટલે ગૌતમસ્વામિએ તેઓના અતિગ્રહપણાને લીધે ત્યાંજ તેમને દીક્ષા આપી, દેવતાઓએ તૂત તે તમામ માટે યુતિપણુના લિંગને લાયકની તમામ સામગ્રી પુરી પાડી. તેએ તમામ ગણુધર મહારાજની સાથે પ્રભુની પાસે જવા ચાલ્યા. માર્ગમાં કાઈ ગામ આવતાં ભિક્ષા ને સમય થયે, એટલે ગાતમસ્વામિએ તમામ મુનિઓને પુછ્યુ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy