SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ (૬) રોગ અને ઉપસર્ગ આવી પડે, તે પણ વ્રતનું સ્થિરતા રાખી રૂડી રીતે પાલન કરે. એ રીતે ચાર પ્રકારથી પહેલા ગુણનું પાલન કરવું જોઈએ, ૨ શીળગુણ શીળનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આયતન સેવે, (૨) વગર પ્રજને પારકાના ઘરમાં પ્રવેશ કરે નહિ, (૩) હમેશાં અનુભટ વેષ રાખે, (૪) વિકારવાળાં વચન બોલે નહિ, (૫) બાળક્રિડાને પરિહાર કરે, (૬) મધુરનીતિથી કામની સિદ્ધિ કરે. એમ છ પ્રકારના ગુણેથી જે યુક્ત હેય તે શીળવાન કહેવાય છે. આયતન એટલે ધાર્મિક જન મળવાનું સ્થાન, જ્યાં શીળવંત, બહુશ્રત અને ચારિત્રના આચારવાળા ઘણા ધમિ બંધુઓ રહેતા હોય, મળતા હોય, તેને આયતન કહે છે. ભાવશ્રાવક આયતનજ સેવે, કેમકે સારા માણસને કુસંગતી કરવાની મનાઇ છે, આયતન સેવવાથી દોષ નાશ પામે છે, અને ગુણેનો સમૂહ વધે છે. જ્યાં દર્શન નિર્ભે દિની અને ચારિત્ર નિ દિની વિકથા નિરંતર થતી હોય, તેને દુષ્ટ આયતન કહે છે. તે બહુ દુષ્ટ આયતન જાણવું. બીજાઓને ઘેર ભારે જરૂરી કારણ વગર જવાથી શંકા આવે છે, કલંક આવવાનો સંભવ છે. ધર્મિજનનો વેષ સાદે અને શેનીક હોય. પિતાની શકિત પ્રમાણેને મલિનતા રહિત વેષ, દેશકાળને અનુસરીને પહેરવાથી શીળવાન શોભે છે. તેમને ઉભટ વેષ સારા ન લાગે. રાગદ્વેષાદિ વિકાર ઉત્પન્ન કરનાર વચને શીળવાને બોલવા નહિ, કેમકે તે ઘણુ અનર્થનું કારણ છે. સવિકાર કહેલાં વાકયે, નિશ્ચિતપણે રાગરૂપ અગ્નિ વધારવાનું કારણ છે. બાળક્રિડા એટલે મુખંજનને વિનંદ આપનાર જુગારાદિ રમતનું સેવન શાળવાને કરવું નહિ. બાળજનની રમત ગમત અનર્થદંડવાળી, અને મેહને વધારનાર છે. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy