________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
૨૭ ભવ. )
મતિજ્ઞાનના ભેદ. ૨ ઈંહા-અવગ્રહીત વસ્તુ નિર્ધારવાના હેતુથી વિચાર કરે તેને ઈહા કહે છે. તેના પણ ઉપર પ્રમાણે છ પ્રકાર છે.
૩ અપાથ (નિશ્ચય)-ઈહિત વસ્તુને નિશ્ચય કરે તેને અપાય કહે છે તેના પણ ઉપર જણાવ્યા મુજબ છ લે છે..
૪ ધારણા–નિર્ધારિત અર્થનું ૧ અવિસ્મૃતિ (નિર્ધારિત વસ્તુને કાંઈ પણ ફેરફાર વિના તેજ રૂપે ધારી રાખવું તે) ૨ સ્મૃતિ (નિર્ધારિત વસ્તુને અર્ધ માત્ર ધારી રાખવું તે) ૩ વાસના ( સંખ્યાત અસંખ્યાત કાળસુધી ભવાંતરે ધારી રાખે તે વાસના જાતીસ્મરણ જ્ઞાન આ વાસનાને ભેદ છે) આ ત્રણ પ્રકારથી ધારી રાખવું તેને ધારણ કહે છે, તેમાં પણ છ ભેદ છે.
ઉપર પ્રમાણે ચાર ભેદને છ એ ગુણતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે, તેથી મતિજ્ઞાનના મુખ્યતાએ અઠ્ઠાવીશ ભેદ ગણાય છે.
જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણાના ભેદમાં આવે છે. તે જાતિ મરણ જ્ઞાનવાન્ ભૂતકાલ આશ્રિત સંજ્ઞી પંચે નિદ્રયના સંખ્ય તાવ દેખી શકે છે.
મતિજ્ઞાનના આ અઠ્ઠાવીશ ભેદના ૧ બહુ, ૨ અબહુ, ૩ બહુવિધ, ૪ અબહુવિધ, પ ક્ષિ, ૬ અક્ષિ, ૭ નિશ્રિત, ૮ અનિશ્રિત, ૯ રાંદિગ્ધ, ૧૦ અસંદિગ્ધ ૧૧ ધ્રુવ, ૧૨ અધુવ, એ ભાર ભેદ છે. કેઈક અનેક વાજીંત્રના ભેદ સામટાં સાંભલીને ઈહાં આટલી ભેરી, આટલા શંખ વાગે છે, એમ પૃથક પૃથક શબ્દ રહે તે બહુગ્રાહી, અને કેઈક અવ્યકતપણે વાછત્ર વાગે છે એટલું જ જાણે છે પણ વિશેષ નજાણે તે અબહુ ગ્રાહી ૨. કેઈક મધુર મંત્રાદિ બહુ ધર્મોપેત જાણે તે બહુવિધગ્રાહી ૩. તે કઈક એક બે પર્યાયે પિત જાણે તે બહુવિધગ્રાહી ૪. કેઈક તરત જાણે તે ક્ષિપ્રગાહી પ ને કેઈકે વિચારી વિચારીને ઘણીવેળાએ જાણે તે અક્ષિપ્રગાહી ૬. કેઈક લિંગ નિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી મંદિર જાણે તે નિશ્ચિત ગ્રાહી છે. નિશ્રાવિના જાણે તે અનિશ્ચિતગ્રાહી ૮. કઈ
For Private and Personal Use Only