SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. - પ્રકરણ ૧૨ ૪ પરિણામિક બુદ્ધિ—પરિણામ ને દીર્ઘકાળનું પૂર્વાપર અનુભવ જ્ઞાન, અર્થનું અવલોકન તે પરિણામિકી બુદ્ધિ. - આ ચાર પ્રકારની બુદ્ધિ એ મતિજ્ઞાનને જ વિષય છે.આ ચાર પ્રકારમાંથી એકે પ્રકાર શાસ્ત્રાભ્યાસ ઉપર આધાર રાખનાર નહીં હોવાથી, તેની ગણના અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનમાં કરવામાં આવેલી છે. કૃતનિશ્રિતમતિજ્ઞાન–કૃત અભ્યાસ, સ્મરણ, ઇન્દ્રિયાર્થથી જે બેધ થાય, તેને કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહે છે. આ જ્ઞાનના ચાર લે છે, ૧ અવગ્રહ, ૨ ઈહા. ૩ અપાય (નિય), ૩ ધારણા. (અવગ્રહના બે ભેદ છે. ૧ વ્યંજનાવગ્રહ. ૨ અર્થાવગ્રહ ). મન અને ચક્ષુ ઇન્દ્રિય શીવાયની બાકીની ચાર ઇંદ્રિયને પિતા પિતાના વિષયને લાયક પુદ્ગલેના સ્પર્શ થયા છતાં, તેહના અર્થનું અત્યંત અવ્યક્ત પણે જે જ્ઞાન તેને વ્યંજનાવગ્રહ કહે છે. મન અને ચક્ષુઈ દ્રિયને તે તે વિષયના પુદગલને સ્પર્શ થતું નથી, તેથી તે બેને વ્યંજનાવગ્રહના ભેદ લાગુ પડતા નથી. એ બે ને અપ્રાકારીની કોટીમાં ગણેલ છે. બાકીની ચાર સ્પર્શ, રસના, ઘાણ, અને શ્રોત્રે દ્રિયની ગણના પ્રાપ્ય કારીમાં કરેલી છે, કારણ કે તે ઈદ્રિયે સ્પર્શ થએલા પુદ્ગલના વિષયને જાણે છે, તેથી તેને વ્યંજનાવગ્રહ થાય છે. આ વ્યંજનાવગ્રહને કાલ જઘન્યથી આવતીકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટ આનપ્રાણ પૃથકત્વ એટલે બેથી નવ શ્વાસ શ્વાસ પ્રમાણ છે. ૧ અથવગ્રહ શબ્દરૂપાદિક વરતનું સામાન્ય માત્ર અવ્યતપણે જાણવું તેને અર્થાવગ્રહ કહે છે. પાંચ ઈદ્રિયને અને છઠ્ઠા મનને એમ છ પ્રકારથી અર્થાવગ્રહમતિજ્ઞાન થાય છે, For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy