SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ ! ત્રીશાલા વિક કે, આ ગર્ભથી જે પુત્રને જન્મ થશે તેનું ગુણે કરીને નિષ્પન્ન વર્ધમાન” નામ આપણે રાખવું. ત્રિશલા દેવી ગર્ભનું પ્રતિપાલન સારી રીતે કરે છે. દરમ્યાન ભગવંતને ગર્ભમાં વિચાર આવ્યું કે મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાય તે સારૂ મહારે નિશ્ચલ, નિષ્પદ અર્થાત કંઈ પણ હાલ્યા ચાલ્યા વિના રેહવું એવું વિચારી ગર્ભ માં સ્થિર રહેવા લાગ્યા, શુભ ભાવથી કરેલું કૃત્ય પણ કેટલીક વખત અનિષ્ટ ફલને ઉત્પન્ન કરનારૂં થાય છે. એમ ભગવંત મહાવીરના ચરિત્રના અંગે આપણને કેટલાક બનાના અંગે જાણવા મળે છે. તે બનાવમાં આ પણ એક પ્રસંગ છે. ભગવંત માત્ર ભક્તિભાવથી પોતાને કંઈ પણ પ્રકારની પીડા પોતાના નિમીત્તથી ન થાય, એવા વિશુદ્ધ ઉદેશથી સ્થીર રહ્યા. ત્યારે મેહના ઉદયથી ત્રિશલા દેવીના મનમાં એવા અશુભ વિચાર ઉત્પન્ન થયા કે મહારે ગર્ભ કે દેવાદિકે હરી લીધું છે અથવા મૃત્યુ પામ્યું છે ? અથવા ગલી ગયેલ છે ? કે જેથી ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, અને હવે તે બીલકુલ કંપતું નથી. આવી માન્યતાથી તેઓને ઘણે કલેશ થવા લાગે અને ખીન્નચિત્તથી દીવસ ગુજારવા લાગ્યા.મહા ઉત્તમ સ્વપના પ્રભાવના લીધે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થવાની અભિલાષાના યેગે જે હર્ષમાં તેઓ દિવસ વ્યતિત કરતા હતા, તે પલટાઈ ગઈ હર્ષના સ્થાને વિષાદ થવા લાગ્યું. તે પિતાને ભાગ્યહિન માની પિતે પિતાને અશુભ એલંભા દેવા લાગ્યા. હાથી, વૃષભ, આદિક સ્વમથી સૂચિત થએલા ઉત્તમ, પવિત્ર, તથા ત્રણ જગતને પૂજનિક, ત્રણ ભુવનમાં જેની બરાબરી કેઈનાથી થઈ શકે નહી એવા અમૂલ્ય, પુત્રરૂપી રત્નવિના મહારે શાની જરૂર છે? આ સંસારને ધિકકાર છે, દુઃખથી પ્રાપ્ત થતા એવા વિષય સુખના કલેશને પણ ધિક્કાર છે. તેમ મધથી લેપાએલ ખની ધારાને ચાટવા સરખા આ સંસારિક ભેગેને પણ ધિક્કાર છે. મહર્ષિઓએ આગમમાં વર્ણન For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy