SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સત્રકાર કે 2 થકારે અમુક ગાથામાં અમુક શો શા માટે મૂક્યા ? એ જ અર્થો માટે બીજો શબ્દ શા માટે ન મૂક્યા ? તેઓના મૂકેલા શબ્દો કેટલા વ્યાપક અને યથાર્થ છે? તેના ઠેકાણે અન્ય શબ્દ હોય તો તે કેવા વામન અને અયથાર્થ લાગે...! આવી રીતના આંતરિક ઉહાપોહમાંથી એક એવી ચિતન શક્તિ પ્રગટે છે કે ધીમે-ધીમે સામાન્ય સમજ ધરાવનાર વ્યક્તિ કે વિદ્યાથી પણ ચિંતક બને છે અને શાસ્ત્રીય અનુપ્રેક્ષાપૂર્વક સ્વ ધ્યાયને આસ્વાદ કરી કે ઈ અલૌકિક આનંદન પામે છે. કહી શકાય કે .. સ્વાધ્યાય એ સાધુ જીવન માટે ભોજન છે.તે અનુપ્રેક્ષા તે ભોજનનો સ્વાદ છે..! અનન્ય ગ્રંથ પૂજ્ય ગુરુદેવ તરફથી આજ્ઞા થતા આ ગ્રંથનું મે સંપાદન કરેલ છે, આ કાર્યમાં વિશેષ તે સંપાદન શું કરવાનું હોય, પણ ચિંતનને એક સરખે પ્રવાહ વાચક સુધી પહોંચે તે માટે જે જે આવશ્યક લાગતું હતું, તે મેં કરેલ છે. આવી રીતના સારાએ ગ્રંથને અવગાહીને ગ્રહણ કરેલ ચિંતન બીજો પરના વિવરણનો કેઈ ગ્રંથ માગ. જોવામાં આવ્યું નથી. * દશવૈકાલિક સૂત્ર” નામથી તે જૈન માત્રને માન્ય છે, પણ જે અક્ષરદેહે આપણને પ્રાપ્ત થાય છે, તે રૂપે આજે પણ સમસ્ત જેના વેતાંબર સંઘના તમામ કિરાઓને આ ગ્રંથ માન્ય છે, તે જોતાં તેના આરાધકે અને વાચને એક વિશાળ વર્ગ છે. આ સમસ્ત વર્ગને પ્રસ્તુત ગ્રંથ... અનુપ્રેક્ષાના આનંદમાં ચિંતનના સુખચેનમાં અને સ્વાધ્યાયના સૌદર્યમાં.. સરકાવી દેશે, તેવી આશા...અભિલાષા ..સર્વથા સુયોગ્ય છે. રાજસ્થાન ભવન, કેઈમ્બતુર રાજ્ય વિજય તા. ૨-૬-૮૧
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy