SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે તેમ ઢાળ પૂરી થતાં કેટલાક રાસમાં દેહરા કે સેરઠી દેહરા આવેલા હોય છે. ' . મંગળાચરણમાં પ્રથમ દરેક રાસમાં જિદ્રદેવની, પછી સરસ્વતી દેવીની તથા ગુરૂની સ્તુતિ કરી કે રાસ લખાય છે ને ધર્મનીતિની કઇ બાબતને મહિમા બતાવવા લખાય છે તે જણાવ્યું હોય છે. ઘણું કરીને દરેક ઢાળમાં છે. કવિનું નામ આવે છે. રાસ પૂરો થતાં કેટલાક રાસમાં તે તે રાસ કવિએ કઈ સાલમાં કઈ તિથિએ કયે વારે કયા ગામમાં રહી રચ્યો તે તથા કવિના ગુરૂઓનું પેઢીનામું પણ આપવામાં આવ્યું હોય છે. ' , ગુજરાતમાં મુસલમાની રાજના આરંભનો કાળ તદ્દન અંધાધુંધીને ને જુલમ ત્રાસને હતા. એ કાળમાં લેકે સંસ્કૃતાદિ ભાષાઓ ભણે કે ઉંચું તત્વજ્ઞાન મેળવવામાં વખત ગાળે એવી કશી જોગવાઈ કે શાંતિ નહતી. ધર્મ પુસ્તક ભંડારામાં ભરી સંતાડી મૂકવામાં આવ્યાં હતાં. એવા વખતમાં સામાન્ય જીવોના હિતને માટે રાસ રચવામાં આવ્યા હોય એમ જણાય છે. અંધાધુંધીના વખતમાં પણ જૈન સાધુઓ જાગ્રત રહ્યા હતા એવું એ રાસ આદિની રચનાથી જણાય છે. એ રાસોમાંના ઘણું મોટા ભાગનું વસ્તુ ( plot) મૂળ સંસ્કૃત કાવ્યો કે આગમ સત્રે કે એ સૂત્રોની ટીકા ઉપરથી લીધેલું એ તે નિઃસંદેહ લાગે છે. અંધાધુંધીના વખતમાં જન લેકેએ જોયું કે સામાન્ય જીવો મૂળ માગધી કે સંસ્કૃતિને અભ્યાસ કરી તે ઉપરથી ધમધ લઈ શકે તેમ નથી. માટે તેઓ સમજે અને સરળતાથી શીધ્ર બેધ પામે તે સારું. એવી સ્વપર હિતબુદ્ધિએ, ઘરબાર તજી ત્યાગી થયેલા એ સંયમીઓએ સંસ્કૃત કાવ્યો તથા સૂત્ર ટીકામાંની-આખ્યાયિકાઓને રાસ રૂપે દેશ ભાષામાં ઉતારી. જન ઉપાશ્રયમાં આજે પણ ચોમાસાના દિવસોમાં તેમજ ઉનાળાના લાંબા દિવસેમાં બપોરે ઘણે સ્થળે સાધુ, આર્યા કે શ્રાવકે રાસ લલકારીને વાંચે છે અને શ્રોતાઓ ધ્યાન દઈને સાંભળે છે. સામાન્ય જીવોના લાભ માટે ધર્મનીતિનું શિક્ષણ આપનારા આવા રાસે દેશ ભાષામાં રચનાર સાધુ મુનિઓએ છેલ્લાં પાંચ શતકને સમય જતાં શ્રાવકસમૂહ ઉપર બહુ 'ઉપકાર કર્યો છે. " કવિતા જેવી ચીજ સારે રાગથી ને હલકથી ગવાતાં ઘણુને પ્રિય
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy