SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વાત ખાસ જણાવવાની રહે છે કે, આનંદઘનજી મહારાજના સમયની જૈનસમાજની સ્થિતિનું અવલોકન કરવાનું તે જ ફળ છે કે, જે આપણે સતરમા શતકની સ્થિતિની સાથે ચાલુ શતકની સરખામણી. કરી આપણે કેટલું જાગૃત થવાનું છે તે વિચારી વર્તન કરીએ. સતરમાં શતકમાં જનસમાજમાં ધર્મમતભેદે હતા, અત્યારે જૈનમાં ધર્મમતભેદે ઘણા છે, તથાપિ હવે તે દૂર કરવા જોઈએ એવી વૃત્તિને કિંચિત જન્મ થયો છે ખરે સતરમા શતકમાં ધર્મલેશ ઘણુ હતા અત્યાર સુધીમાં આ શતકમાં પણ કાંઈ ઓછા નહોતા પરંતુ હવે તે વાત ઠીક નથી. એમ સમજવાની શરૂઆત થઈ છે સતરમાં શતકમાં ધર્મકલેશને ધર્મગુરૂઓનું જળસીચન હતુ ચાલુ શતકમાં પણ તેવુ જળસી ચન થોડા વર્ષ પહેલાં સુધી હતુ, તથાપિ હવે તેઓ એ બાબતમાં કાંઈક મેળા પડ્યા છે. સત્તરમા શતકમાં ઉત્તમ ગુરૂઓનુ જે કે આનદનજી મહારાજની દષ્ટિએ અલ્પત્વ હતું, પરંતુ ચાલુ જમાનાની સરખામણીએ તે કાળ અત્યારના કરતાં ઘણો ઉત્તમ હતા, કારણ કે તે સમયમાં અને દવનજી મહારાજ પિતેજ તેમજ નિયવિજયજી મહારાજ, ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ અને બીજા બસે ક પડિત વિદ્યમાન હતા. આ સતક, શતરમા શતકની સરખા એ આ બાબતમાં અવર્ણનીય રીતે પછાત છે સતરમા શતકમાં શ્રાવક દશાની સ્થિતિ નિર્બળ હતી, પરંતુ આ શતકમાં તે તેથી ઘણુજ ગુણી નિર્બળ છે. સતરમા શતક કરતા અત્યારે વધારે પરિમાણમાં સમાજ ક્રિયાજડત્વમાં રહ્યા છે, સતરમા શતકમાં અધ્યાત્મ હતું તેના કરતાં આ શતકમાં ઘણું ઘણું ઓછું છે શુષ્ક અધ્યાત્મીઓ આ કાળમાં વધારે હશે કે ક્રિયાજડવાન તે એક તપાસ કરવા જેવી બાબત છે. પ્રતિમા સબધી કલેશ છે કરવાની વૃત્તિ સમાજમાં હમણાં જ શરૂ થાય છે. આશે શુદ ૨, ૧૯૬૪ મનસુખલાલ
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy