SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ ગ. જૂદા જૂદા મનુષ્ય પરત્વે સારા અને ખરાબ ફળ આપનારી થઈ શકે છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવાની છે. કર્મને બંધ ચિત્તની વૃત્તિ ઉપર-આત્મીય વર્તાના ઉપર આધાર રાખે છે. શાસ્ત્રકાર સદાચારને વિધેય એટલા માટે બતાવે છે કે એ ચિત્તવૃત્તિને નિર્મળ કરનાર છે. દરેક કાર્યનું આત્મિક પ્રગતિને અંગે કેવું પરિણામ થાય છે તે પર સાધ્ય રહે છે તેથી સદાચારને પણ તેને અંગે જ ઉપયોગી ગણવામાં આવે છે. શ્રતધર્મ ઉપર એને એ રાગ હોય છે કે જેમ ગૃહિણી ઘરનું સર્વ કામ કરે પણ લાગ મળે ત્યારે કામથી ફારેગ થઈ પિતાના હદયવલ્લભ પતિને મળવાનું તેનું મન રહ્યા કરે છે તેમ આ દશામાં વર્તતે પ્રાણી કદાચ સાંસારિક કાર્યો કરે તે પણ તેનું મન શ્રતવાંચન, શ્રવણ અને મનન તરફ સર્વદા દેરાયેલું રહે છે. આ સુંદર સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરને તેને આદરભાવ અને તેને પ્રાપ્ત થયેલ મીમાંસા ગુણ છે એમ સમજવું. વળી આ દષ્ટિમાં વર્તતે પ્રાણું માયાજળને દેખી તેથી જરા પણ મુંઝાઈ ન જતાં તેના ઉપર પગ દઈને ચાલે છે, તેને તરી જાય છે અને તેના ગમે ભાગ માયા મમતા તેટલા કલેલે પિતાના ઉપર આવે તે તેથી પર વિજયની ડરી જઈ તેમાં ડુબી જતું નથી. ભેગને શરૂઆત તે સ્વરૂપથી માદક જેવા અસાર સમજે છે અને તેમાં આસક્ત ન થતાં તેને ભગવે તે પણ અસગ દશામાં રહી પોતે આત્મિક ઉન્નતિમાં આગળ વધતું જાય છે. એ દશામાં વર્તતે પ્રાણી સાંસારિક ભેગને તત્વ માનતા નથી અને તેથી તેમાં કદિ પણ આસક્ત થત
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy