SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કાન્તાદષ્ટિ બાબતના જ વિચાર આવ્યા કરે છે. એની શુભ વૃત્તિ એટલી બધી સારી થઈ જાય છે અને એનાં બાહ્ય આચાર અને ક્રિયાઅનુષ્ઠાન પણ એવાં શુદ્ધ થઈ જાય છે કે એ સ્વાભાવિક રીતે જ સર્વ પ્રાણીઓને પ્રિય થઈ જાય છે, તેના ઉપર સર્વને બહુ પ્રેમ આવે છે અને તેના તરફ કુદરતી રીતે જ બહુ રાગ થઈ આવે છે. એનું પિતાનું મન તે ધર્મની બાબતમાં જ એકાગ્ર થઈ જાય છે અને તે ધર્મની જ અથવા તે સંબંધની જ વાતે કરે છે. તે હજુ ભેગને સર્વથા ત્યાગ કરતા નથી અને કેટલીક શ્વર પંચમ ગુણસ્થાનકે શ્રાદ્ધ અવસ્થામાં પણ વર્તતે હોય છે છતાં તેના સાધ્યની નિર્મળતા હોવાને લીધે અને ભેગસેવનમાં ગુદ્ધિભાવ ન હોવાને લીધે તે કદાચ ભેગે ભગવે છે તે પણ તેને લીધે તેને સંસાર વૃદ્ધિ પામતું નથી. શુભ ક્રિયાના ફળ તરીકે તેની ઈચ્છા વગર પણ કેટલીક વાર પુણ્યકર્મને ઉદય તેને પ્રાપ્ત થઈ જાય તેનાં ફળ ભેગવવાં પડે છે તે સર્વે તે ભગવે છે, પણ તેમાં આસક્તિ રાખતું ન હોવાથી ભેગસેવનમાં સામાન્ય રીતે પ્રાપ્ત થતું ઝેર તેના સંબંધમાં આવતું નથી અને તેથી તે ભેગસેવન કરતાં છતાં પણ નિમિત્તને લાભ પ્રગતિ કરતે જાય છે. શુભ પુર્યોદયજન્ય ભોગેના આસેવન વખતે વળી તે શુભ ક્રિયાઓ કરી વિશુદ્ધ નિમિત્તે એકઠાં કરી તે સાધનને ઈષ્ટ સાધ્યપ્રાપ્તિમાં પ્રગતિ કરાવનાર તરીકે ફેરવી નાખે છે. આવી રીતે શુભ પુર્યોદય વખતે પ્રાકૃત મનુષ્યો જ્યારે આકરાં કર્મ બાંધે છે ત્યારે આ પ્રજ્ઞાવાન દષ્ટિમાન મહાત્મા કર્મની નિરા કરી આગળ પ્રગતિ કરે છે. એક ને એક જ ક્રિયા આવી રીતે
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy