SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ રસનું નિર્માણ થતું જ નથી. વળી એવા આત્માઓએ ગ્રહિત દલિકે ફકત એક સાતા વેદનીયપણે જ પરિણમે છે. કષાયના અભાવના કારણે ફક્ત સાતા વેદનીયપણેજ પરિણમેલ તે કર્મ, વિપાકજનક થતું નથી તેમજ બે સમયથી અધિક સ્થિતિ પણ પ્રાપ્ત કરતું નથી. અહિં પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધનું કારણ રોગ, તથા સ્થિતિ અને રસબંધનું કારણ કષાય કહેવાય છે, તે અવયવ્યતિરેક રૂપે પ્રધાન કારણ તરીકે છે. તેની સ્પષ્ટતા પાંચમા કર્મગ્રન્થની ૯૬ મી ગાથાની ટીકામાં જ બતાવવામાં આવી છે, તેને અર્થ ગુજરાતી ભાષામાં નીચે મુજબ છે. • “મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને રોગ એ સામાન્યતઃ કર્મબંધના હેતુઓ કહ્યા છે, તે પણ પ્રથમના મિથ્યાત્વ–અવરતિ–અને કષાયરૂપ ત્રણ કારણના અભાવમાં પણું ઉપશાન્ત મેહ વિગેરે ત્રણ ગુણસ્થાનકમાં ફક્ત ગના જ સદુભાવમાં એગ નિમિત્તક શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશે બંધાય છે. અને અગી અવસ્થામાં ગને અભાવ હોવાથી શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશને પણ બંધ થતું નથી. એથી જણાય છે કે ગ અને પ્રકૃતિપ્રદેશબંધને કારણે કાર્યભાવરૂપે અન્વયવ્યતિરેક સંબંધ છે. તથા મિથ્યાત્વ અને અવિરતિરૂપ કારણોને અભાવ હોય તે પણ કષાયના સદ્દભાવમાં પ્રમત્તાદિગુણસ્થાનકેમાં સ્થિતિબંધ અનુભાગંધ અવશ્ય થાય છે, અને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy