SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - ૩૪૬ જૈન દર્શનને કર્મવાદ ચારે આયુષ્ય અંગે જઘન્ય સ્થિતિસ્થાનકથી પ્રારંભી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાનકે અનુભાગરથાને અસંખ્યગુણ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં અનુભાગબંધાયવસાયનું પ્રમાણુ એક સરખું નહીં હોવાથી એકજ સ્થિતિબંધમાં અનુભાગ (રસ) બંધ પણ પૃથક પૃથક્ રીત થાય છે. એકજ રિતિબંધમાં થતા તે પૃથક્ પૃથક્ અનુભાગના સર્વ સમૂહમાં અશુભકર્મના જઘન્ય અનુભાગબંધ થી પ્રારંભી ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સુધીમાં પ્રત્યેક અનુર્ભાગબંધની તીવ્રતા અનુક્રમે અનંતગુણ હોય છે. જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અ૫ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ તીવ્ર હોય છે. એ રીતે અશુભકર્મપ્રકૃતિએના જઘન્ય સ્થિતિસ્થાનથી આરંભીને અનુક્રમે ઉર્વમુખે અનન્તગુણ અનુભાગ હોય, અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનથી પ્રારંભીને અનુક્રમે અધમુખે જઘન્યસ્થિતિ સુધી સુધી અનન્તગુણ અનુભાગ હોય છે. કથન સામાન્યપણે સમજવું, બાકી તે દરેક કર્મપ્રકૃતિના જઘન્યસ્થિતિસ્થાનકથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં દરેક સ્થિતિસ્થાનકમાંના દરેક અનુભાગબંધનું તીવ્ર મન્તત્વ, તે કશ્મ પયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં વિસ્તૃત રીતે દર્શાવેલ અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્તત્વની હકિકત દ્વારા તે તે ગ્રંથોના અભ્યાસી ગુરુગમદ્વારા સમજવું અત્યંત આવશ્યક છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy