SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૨૯ - - - - - - - - - - - - કર્મરૂપે પરિણામ પામેલા કામણવગણના યુગમાં વસ્વભાવનુસાર જીવને અનુગ્રહ (ગુડ એફેકટ) કે ઉપઘાત બેડ એફેટ) કરવામાં ન્યૂનાધિક સામર્થ્ય (પાવર) તેને કર્મરસ કહેવાય છે. જગતમાં કેટલીયે વસ્તુઓ એવી છે કે સમાન-સ્વભાવીય તે પૃથપૃથક્ વસ્તુઓ, અને પિતાને સ્વભાવ બતાવવામાં એક સરખું સામર્થ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર પણ જીવ ઉપર એક સરખી થતી નથી. અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય (પાવર) વધુ તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપરીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવ વાળી વસ્તુઓ પિકી જે વસ્તુનું સામર્થ્ય ઓછું તે, તે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ કરતાં સારી ગણાય, આ હકિત સહેલાઈથી સમજી શકવા માટે મનુ ને અનેકવાર ઉપગી “સુંઠનું દ્રષ્ટાંત લઈ એ. વાણુ હરવા માટે યા તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઠને ઉપયોગ કરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત છે. વિવિધ પ્રકારની સુંઠે બજારમાં વેચાતી હોવા છતાં આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને વધુ કિંમતી ગણીએ છીએ. તમામ સ્થાનની સુઠે મુખ્યત્વે તે ઉપર કહેલ શારીરિક ચિકિત્સાના ઉપયોગ માટેજ બજારમાં વેિચાય છે. તેમ છતાં એકજ સ્વભાવવાળી તે સુંઠેમાં પોતાના સ્વભાવાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુંઠ વધુ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy