SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ જૈન દર્શનને કર્મવાદ તે એ જીવ ગ્રથિદેશથી કતે આગળ વધીને સમ્યગદર્શન નાદિ ગુણોને ઉપાજે અને કાં તો એ પાછો હટી જવા પામે. કે સમ્યક્ત્વ–દેશવિરતિ–સર્વવિરતિ–ઉપશમણિ અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ આત્માના તેવા પ્રકારના પુરૂષાર્થના ચગે છે, જ્યારે આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ ભવિતવ્યતાએ જ છે. એટલે આ સ્થિતિથી પતિત થયા બાદ પુનઃ આ સ્થિતિની પ્રાપ્તિ આપણા પુષાર્થને આધિન નહિ હોવાથી ગ્ર9િદેશને પામેલ આત્માએ સ્થિભેદ કરી, સમ્યક્ત્વ પ્રાપ્ત કરી કમે મે દેશવિરતિ–સર્વવિરતિ આદિ ગુણોને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બની રહેવા જાગૃતિ રાખવી જોઈએ. તે જ કર્મસ્થિતિની લઘુતાની પ્રાપ્તિ સાર્થક છે. રિતિબંધના આ સ્વરૂપને સમજી સ્વહિતકામી આત્માઓએ એટલી કાળજી તે અવશ્ય રાખવી જોઈએ. કે પિતાના આત્મામાં અશુભ પરિણામ નહિ પ્રગટવા દેવા માટે તગ્ય નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. કદાચ નિમિતવશાત્ અશુભ પરિણામ પ્રગટી જાય તે પણ તેને તીવ્ર નહિ બનવા દેવાની કાળજી રાખવી જોઈએ. આત્મા જેમ ગુણ-સમ્પન્ન બનતે જશે તેમ તેમ તેને તે કર્મબંધ અશુભ રૂપે થતો અટકી જઈ શુભ રૂપમાં થતો જશે. અને જેમજેમ આત્માના પરિણામ વિશુદ્ધ થતા જશે તેમ તેમ કમેક્રમે નિર્જરાકરને તે આત્મા, પરિણામે સર્વ કર્મથી રહિત મેક્ષદશાને પ્રાપ્ત કરી શકશે. રસમ અહીં રસ એટલે શું? તે સમજવું પહેલું જરૂરી છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy