SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈન દર્શનને કર્મવાદ મદદગાર થાય છે. આ કર્મનું નામ આનુપૂર્વીનામકર્મ છે. આ કર્મ વડે ભવાંતરમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને જીવ ગતિ કરે છે. જીવ કઈ વાર સીધે સીધો બીજા ભવમાં જાય છે. અને કોઈવાર તેને આકાશ પ્રદેશની શ્રેણિમાં કાટખુણા (વકતા) કરવા પડે છે. સીધે સીધે સીધી આકાશ પ્રદેશની શ્રેણું ઉપર થઈને નવા ભવમાં ઉત્પન્ન થાય, તે તે તેને તે સમયે આનુપૂર્વી નામકર્મના ઉદયની મદદ લેવાની જરૂર પડતી નથી. પરંતુ વિગ્રહગતિ કરવી પડે તે જેટલા કાટખુણા-વકતા–વિગ્રહગતિ કરવી પડે, તેટલા કરવામાં મદદરૂપ બની આ આનુપૂર્વી નામકમ, જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય ત્યાં પહોંચતાં સુધી ઉદ* ચમાં રહે છે. એટલે ચારગતિના નામે આનુપૂર્વીનામકર્મ પણ ચાર પ્રકારે છે. (૧) દેવગત્યાનુપૂર્વીનામકર્મ (૨) નરક ગત્યાનુપૂર્વનામકર્મ (૩) તિર્યંચગત્યાનપૂર્વેનાકર્મ અને (૪) મનુષ્યગત્યાનુપૂવીનાકમ, આ આનુપૂર્વનામકર્મને ઉદય વકગતિમાં જ હોય છે. વિગ્રહ વડે દેવગતિમાં જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર જે કર્મ તે દેવળત્યાનુપૂર્વનામકર્મ છે. એ પ્રમાણે ચારે ગત્યાનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા સમજવી. * આ જગતમાં પ્રાણિઓની ચાલ (હીંડણી) વિવિધ પ્રકારે જોવામાં આવે છે. તમામ પ્રકારની ચાલનું વિભાજન શાસકારે એ બે પ્રકારે કર્યું છે. પ્રશસ્ત યા શુભ, અને અપ્રશસ્ત યા અશુભ. ચાલનું નિયામક કર્મ તે “વિહાયોગતિ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy