SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બધ - - - - - ૧૬૯ શાસ્ત્રોમાં દેવનાં ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, અચિન્ય શક્તિ, સર્વ દષાતીત, સર્વજ્ઞ, વીતરાગ, જિનેશ્વર, તીર્થકર, સચ્ચિદાનંદમય, આદિ નામ પ્રસિદ્ધ છે. આંથી એ સર્વ નામે સમન્વય, દેવમાં અવશ્ય હોવો જોઈએ. અન્યથા એ નિરર્થક નામ હાસ્યાસ્પદ મનાય છે. માટે પ્રથમ તે સર્વજ્ઞ દેવ કહેવરાવનારમાં જગતના સર્વ દૂષણ રહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાન ચેષ્ટા રહિતપણું, શુદ્ધ સત્ય નિશબાધ તત્વ વક્તાપણું અને સર્વજ્ઞતા આદિલક્ષણ અવશ્ય હોવાં જોઈએ. એ લક્ષણોની પરીક્ષા તેમની જીવનકીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસાર પરિભ્રમણના અંતિમ જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તૃષ્ણાદિ દુર્ગુણને કર્તવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, લીલા માની એવું આચરણ કરવાને લેકેને ઉપદેશ દીધા ન હોય, ભેગપદાર્થોની તૃણામાં આશક્ત બની મસ્ત રહ્યા ન હોય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મ જીવન વ્યતીત કરવામાં જે આકાંક્ષી રહ્યા ન હોય, આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે એવા પ્રપંચોથી લોકોને ઠગવાનો જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી, સુઅવસરની પ્રાપ્તિમાં સંસારિક પ્રપનો ત્યાગ કરી, રાજ્ય ધન, સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ પરિવારને વસ્ત્ર પર પડેલી ધૂળની માફક દૂર કરી, ઘેર તપશ્ચર્યા કરી, અણુસમજુ લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહ, કષ્ટ,
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy