SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને મિથ્યાત્વની માન્યતામાં મુકનાર અનંતાનુબંધી નામક કષાય છે. અને અવિરતિદિશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની નામક કપાય છે. આ મિથ્યાત્વ અને અવિરતિદશા ઉત્પાદક કષામાં ક્રોધાદિ માત્રાઓ એવી અસ્પષ્ટપણે વતે છે કે સામાન્ય માનવી તેને સમજી શક્તો નથી. છતાં તે બને દશાઓ કષાયના જ ઉદયવાળી હોઈ તે બંને હેત, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે કર્મના બંધહેતુઓ કષાય અને ગ. એમ બે પણ ગણી શકાય છે. આ રીતે બન્યતુઓ મુખ્યપણે કષાય અને વેગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી–ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મ પ્રકૃતિના તરતમભાવના, કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈદશા, કઈકમપ્રકૃતિઓના બન્ધનમાં કારણભૂત છે? તે સાદી સમાજના લોકોને સહેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિ પુરૂએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદા જુદા ગણાવ્યા છે. યેગથી કાર્મિક વણાનાં રજકણે આકર્ષિત થઈ જીવમાં સંબધિત બને છે, પરંતુ તે રજકણસમૂહમા વિવિધ સ્વભાવનું નિર્માણ તો તે સમયે આત્મામાં વર્તતા વિવિધ સ્વભાવ ધારક વિવિધ કષાને અનુલક્ષીને જ થાય છે. જીવ તે કર્મણવર્ગણાના પુદ્ગલેને ગરૂપ વીર્ય વડે ગ્રહણ કરી, તેને કર્મરૂપે પરિણાવે છે, એટલે જીવદ્વારા
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy