SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમતા હોય. એ પ્રમાણે ગંધ-રસ અને સ્પર્શને અનુલક્ષીને પણ પરમાણુઓમાં અન્ય સમાનતા અને વિષમતા સમજવી. એક એક પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ણેન્દ્રિય, રસને ન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને વિષય, વર્ણ-ગંધરસ અને સ્પર્શ હોવા છતાં પણ તે વર્ણાદિ એટલી બધી સૂકમતાવાળા છે કે તે ઇન્દ્રિયગોચર બની શકતા નથી. વર્ણાદિમાં વિવિધતા યા સમાનતાવાળા ઘણું પરમાણુંઓનું સંઘટ્ટન થઈ તે સ્કંધરૂપે બને છે, ત્યારે જ તે વર્ણાદિની સ્પષ્ટતા આપણે ઈનિદ્રા દ્વારા અનુભવી શકીએ છીએ. પરમાણુના સંઘટ્ટન– સ્વરૂપ સ્કંધેમાં તે વિરૂદ્ધ વર્ણાદિવાળા અણુ-પરમાણુઓનું મિલન હોવાથી એક સ્કંધમાં પાંચ વર્ણ, પાંચે રસ, બે ગંધ અને આઠ સ્પર્શ પણ હોઈ શકે. એક પરમાણુમાં કેઈ પણ પ્રકારને એક જ વર્ણ, એક જ ગ ધ, એક જ રસ, અને બે સ્પર્શ હોવા છતાં સમસ્ત પરમાણુઓની અપેક્ષાએ વધુમાં વધુ વર્ણ પાંચ, ગધ બે, રસ પાંચ અને સ્પર્શ ચાર હોઈ શકે, કારણ કે મૌલિક્તાની દ્રષ્ટિએ વર્ણાદિ તેટલી જ સંખ્યાવંત છે. આમાં ચાર સ્પશે તે શીત–ઉણ–નિગ્ધ અને અક્ષ છે. લઘુ-ગુરુ, મૃદુ અને કઠિન એ ચાર સ્પર્શેમાંથી એક પણ સ્પર્શ વિશ્વના કેઈ પણ પરમાણુ સ્વરૂપ પુદ્ગલમાં નહિ હોવાથી સિદ્ધ થાય છે કે એ ચારે સ્પર્શે મૌલિક નહિં હતાં સંગજન્ય છે. માટે એ ચાર સ્પર્શે ઉત્પન્ન થવાની કઈ
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy