SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ એટલે તેમણે પણ જેસલમીરના શાસ્ત્રસંગ્રહને ઉદ્ધાર કરવાને નિશ્ચય કર્યો. અનેક સારા સારા લેખકે તે કામ માટે રોકવામાં આવ્યા અને તેઓની મારફતે તાડપત્ર ઉપરથી કાગળો પર ગ્રંથોની નો કરાવવાની શરૂઆત થઈ જિનભદ્રસૂરિ પોતે જાતે જુદા જુદા પ્રદેશમાં ફરી શ્રાવકેને શાદ્વારને સતત ઉપદેશ આપવા લાગ્યા. આ રીતે સંવત ૧૪૭૫ થી સંવત ૧૫૧૫ સુધીનાં ચાળીસ વર્ષમાં હજારો-બકે લાખો ગ્રંથ તેઓના ઉપદેશથી લખાવવામાં આવ્યા અને તેને જુદાજુદા ઠેકાણે રાખીને અનેક નવાનવા ભંડારો સ્થાપવામાં આવ્યા. પોતાના ઉપદેશથી તેમણે આવા કેટલા ભંડારો તૈયાર કર્યા-કરાવ્યા તેની પૂરી સંખ્યા જાણવામાં આવી નથી. મુગલ કળા મુગલ કળાના ઉદયની સાથે જ ગુજરાતની જેનાથિત કળા, કળાના વિશિષ્ટ રૂપે પોતાનું સ્થાન ગુમાવી બેઠી. જોકે તે સમયના પણ કેટલાક નમૂનાઓ તે મળી આવે છે; પરંતુ તે ગણ્યાગાંઠયા જ. . સ. ૧૫રરમાં બાબરે હિદ ઉપર સવારી કરી. બાબર અને તેની પછીના મુગલ શહેનશાહના સમયમાં હિંદમાં જે કળા ઉછરી અને વિકસી ને મુગલ કળાને નામે ઓળખાય છે. તેના સંસ્કારનું મૂળ, તૈમુરના સમયથી હિંદમાં રોનરી આવતા મુગલોની સાથેના ઇરાની કળાના સંસ્કારમાં રહેલું છે. ઇસ્લામ ધર્મના કાનનોએ માનવ આકૃનિ ચીતરનારને માટે મન ફરમાન કર્યા છે, છતા કળાની વેલ તે સદા એ પાગરવી જ રહી છે. માનવ આકૃતિ ચીતરવાના એ નિષેધે કલાશક્તિને બીજે રૂપિમાં વાળી અને વિવિધ આકૃતિરૂપ તથા શોભ-આલમનોમ તેઓએ અસાધારણું પ્રાવીણ્ય મેળવ્યું. શહેનશાહ અકબરે ચિત્રકળા પાછળ ખૂબ ખર્ચ રાખ્યો હતો. દેશવિદેશના હિંદુ અને મુસલમાન કળાકારેને તેના તરફથી માન, શિરપાવ કે નામ મળ્યાં જ કરતાં અને કળાને ઉસ્તાદોને મનસબદાર અથવા અમીર-ઉમરા જેવા ગણવામાં આવતા. અકબરશાહના અંત સમયે તેના દરબારમાં એકસો ઉપરાંત નામીચા ચિત્રકારો હતા, જેમાંના કેટલાકને તે ઉમરાવની પદવીઓ મળી હતી. અકબરની આ નીતિમા કળાપ્રેમ તે છે જ; સાથે છેડે અંશે આત્મગૌરવ અને સ્વકથા અમર રાખવાની ઇચ્છા પણું પ્રેરક થઈ હોય એમ લાગે છે. પણ મુગલ ચિત્રકળાને પૂરા રંગમાં ખીલવવાનું ભાન તા જહાંગીરને જ ઘટે છે. ચિત્રકળા તેની લાડીલી મેજ હતી અને તેને સર્વાગે વિકસિત કરવામાં તેણે પુરી ઉદારતા વાપરી છે. તે શાહી ચિનારાઓની કુશળતા પર હમેશાં ગુમાન રાખતો. એ તે એ જમાનાને ખરેખરો રોગી જીવ હતો. કળાના મળી આવે તેટલા ઉત્તમ નમૂના તે સંઘરતો, કારીગરીની બારીકી તે સમજતા ૪૭ “કુમાર' માસિકના વર્ષ ના અંક ૧૦મામા આવેલા “મુગલ કળા' ઉપરના શ્રી રવિશંકર રાવળના લેખમાથી મુખ્ય આધાર મેં આ લેખ માટે લીધા છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy