SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જીવાશ્રિત કળા અને તેને ઈતિહાસ ૫૭. અવયવો વેણુવાણિત કળાના નમૂનાઓમાં પણ જોવામાં આવે છે; એટલે કે તે સમયના ચિત્રકારેએ કોઈ પણ સંપ્રદાયની સાંપ્રદાયિક માન્યતા પકવાને પ્રયત્ન નથી કર્યો, પણ પોતાના સમયના સામાજિક રીતરિવાજોની રજુઆત કરવાનો જ પ્રયત્ન કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે માત્ર જૈનશ્ચિત કળાના નમૂનાઓ જ સેકડોની સંખ્યામાં મળી આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયમાં પુસ્તકોહારના કાર્યને પ્રવાહ અતિ તીવ્ર વેગથી વહેવા લાગ્યો હતે. ફક્ત ચિદમી અને પંદરમી શતાબ્દીના મધ્ય અને અંતમાં જ કંઈ લાખો પ્રતિઓ લખાઈ હશે. તેવા ઉલ્લેખો પૈકી દાખલા તરીકે લઈએ તો સં. ૧૪૫૧મા, કલ્પસૂત્ર અને કાલકકથાની સુવર્ણાક્ષરે તથા રોપ્યાારે સચિત્ર પ્રતો લખાવી સકલ સાધુઓને ભણવા માટે, સંગ્રામ સોની નામના એક જૈન ગૃહસ્થ જ્ઞાનખાતામાં ખચેલા લાખો સોનૈયાનો ઉલ્લેખ “વીર વંશાવલિ'માં જોવામાં આવે છે. આ સમય દરમ્યાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ પોતાના જીવનમાં સૌથી વધારે મહત્વનું જે કાર્ય કર્યું તે જુદા જુદા સ્થાનકે એ ગ્રંથભંડારો સ્થાપવાનું. તેઓએ જેટલા ગ્રંથભંડારો સ્થાપિત કર્યા–કરાવ્યા છે તેટલા બીજ કેઈ આચાર્યે ભાગ્યે જ કરાવ્યા હશે. - જિનભદ્રસૂરિ પહેલાં તો મોટે ભાગે તાડપત્ર ઉપર જ ગ્રંથો લખાવવાની પ્રથા હતી, પરંતુ તેઓના સમયમાં તે પ્રથામાં મોટું પરિવર્તન થયું, કાં તો તેમના સમયમાં તાડપત્રો મળવાની મુશ્કેલી હૈય, કાં તે કાગળની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ હય, ગમે તે હે, પરંતુ તે સમયમાં તાડપત્ર પર લખવાનું એકદમ બંધ થઈ ગયું અને થાન કાગળોએ લીધુ. તાડપત્ર ઉપર જેટલા જાના ગ્રંથો લખાએલા હતા તે બધાની નકલ તે સમયે કાગળ ઉપર કરવામાં આવી હતી. ગુજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારાનાં તાડપાને આ એક જ સમયમાં, એકસાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથ ઉપરથી કાગળ ઉપર નકલો ઉતારવાનું કાર્ય ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી સોમસુંદરસૂરિની મંડળીએ કર્યું હતું અને ત્યાં જેસલમીરના ગ્રંથ ઉપરથી નક, ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનભદ્રસૂરિની મંડળીએ કરી હતી. આમ, પદરમી શતાબ્દીમાં કંઈ લાખો પ્રતિઓ ઉપરોક્ત આચાર્યોએ લખાવી હતી. જેસલમીરને પ્રદેશ રેતાળ હોવાના કારણે બહુ જ વિકમ હોવાથી ધર્મધ મુસલમાનની જુલમી ચડાઈઓ ગુજરાત કરતા ત્યાં બહુ જ ઓછી થતી. આ સ્થિતિને વિચાર કરીને પ્રાચીન આચાર્યોએ ગુજરાતમાંથી ઘણું પુસ્તકો ત્યાં પહેચાડી દીધાં હતા અને તે પુસ્તકનું ત્યાં બહુ જ પ્રયત્નોથી રક્ષણ કરવામાં આવ્યું હતું. જેસલમીર ખરતરગચ્છનું મુખ્ય સ્થાન હતું અને આચાર્ય જિનભદ્ર તે ગચ્છના આગેવાન હતા એટલે તે બધા પુસ્તકે ત્યાં તેમના જ કબજામાં હતાં. તપાગચ્છીય સમુદાય મારફતે ગુજરાતના ભંડારોના ઉદ્ધારની વાત જિનભદ્રસૂરિના સાંભળવામાં આવી GK ૪૬ સમયસુંદર ઉપાધ્યાયે પિતાની રચલી “અષ્ટલક્ષાની પ્રશસ્તિમાં લખ્યું છે, श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालपुर्या तथा श्रीमद्देवगिरौ तथा अहिपुरे श्रीपसने पत्तने ।
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy