SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ ૫૯ અને તેની બાખૂબ કદર કરી શકતા. કાષ્ટ પશુ મલે કળાની ઉત્તમ ચીજ હાથ કરવા તે આગ્રહ રાખતા અને તે માટે ભારેમાં ભારે કિંમત આપતા. શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકારા પૈકી સતાદ સાલિવાહન નામના એક ચિત્રકારની જૈન ધર્મના પ્રસંગેાની બે સુંદર કૃતિ મળી આવી છે, જેમાંની એક કૃતિ (જૈનાચાર્ય શ્રીવિજયસેનસૂરિ ઉપર આગ્રાના સંધે સંવત ૧૯૬૭ના કાર્તિક સુદી ખીજ ને સેામવારના રાજ મેકલાવેલા વિજ્ઞપ્તિપત્ર)મા, ઉપાધ્યાય શ્રી વિશ્વકર્ષ ગણુએ સંવત ૧૯૬૬ની સાલમાં આગ્રામાં ચાતુર્માંસ કર્યાં અને રાજા રામદાસાદિ દ્વારા જહાંગીર બાદશાહને મળીને પેાતાની વિદ્વત્તા તથા શાંતતૃત્તિથી તેને સંતુષ્ટ કરી તેની પાસેથી તે સાલમાં તેના રાજ્યમાં પર્યુષણાના દિવસેામાં જીવહિંસા થવા ન પામે તેવું કરમાન બહાર પડાવ્યું તેનું આલેખન છે. મહાપાધ્યાયના આવા સુકૃત્યથી આગ્રાના જૈન સંઘને ઘણા આનંદ થયા હતા અને તેમણે પેાતાના એ આનંદને ગુચ્છપતિ આચાર્ય, કે જે તે વખતે દેવપાટણ (પ્રભાસ પાટણ)માં ચાતુર્માંસ રહેલા હતા તેમની આગળ પ્રકટ કરવા માટે આ ઉત્તમ ચિત્રકાર પાસે તે પ્રસંગને લગતું સુંદર અને ભાવદર્શક ઉપલું ચિત્રપટ તૈયાર કરાવી સાંવત્સરિક ક્ષમાપનાના પત્રરૂપે તેમની ઉપર મેાકલાવ્યું હતું. આ ચિત્રપટના મહાપાધ્યાય વિવેકહર્ષગણિ કરી રીતે રાખ્ત રામદાસને સાથે લઈ જહાગીર બદશાહ પાસે દરમાન મેળવવા માટે જાય છે, અને કરમાન મળ્યા પછી કેવી રીતે ઉપાધ્યાયના એ શિષ્યા બાદશાહી નાકરાને સાથે લઈ આગ્રા શહેરમા નતે તે માબતને ઢંઢેરા પીટાવના કર છે વગેરે દસ્યા બહુ સુંદર રીતે ચીતરેલાં છે. ચિત્રના એક ભાગમાં શ્રીવિજયસેનક્રિની વ્યાખ્યાનસભા પણ ચીતરેલી છે અને તેમાં શ્રીવિવેકર્ષર્માણ જાતે એ ફરમાનપત્ર લઈ આચાર્યની સેવામાં સમર્પિત કરી રહ્યાા દેખાવ પણ આલેખલેો છે. આ ચિત્રનાં આલેખેલી આકૃતિએ બહુ સ્પષ્ટ અને તાદશ . દરેક મુખ્ય આકૃતિ ઉપર તેનું નામ કાળી શાહીથી લખેલું છે. ચિત્રની મહત્તા એટલા ઉપરથી જ સમજાશે કે તે ખુદ બાદશાહી ચિત્રકાર સાલિવાહનની પીછીથી આલેખાએલું છે. એ બાબતને એ પત્રમા જ આ પ્રમાણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ઉસ્તાદ સાલીવાહન બાદશાહી ચિત્રકાર છે, તેણે તે સમયે યા તેવા જ આમાં ભાવ રાખ્યા છેં.' આ ઉપરથી, આ સચિત્ર પત્રની ઐતિહાસિક મહત્તા કેટલી વિશેષ છે તે દરેક વિદ્વાન સમજી શકે તેમ છે. પહેલાં આ ચિત્રપટ સ્વસ્થ મુનિમહારાજ શ્રીહંવિજયજીના વાદરાના જ્ઞાનમંદિરમા હતા અને તેના ઉપરથી શ્રીયુત જિનવિજયજીએ ‘વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મેકલેલા ચિત્ર સાંવરિક પત્ર' એ નામના એક લેખ ઇ.સ. ૧૯૨૨માં લખ્યા હતા,૪૮ જેના મુખ્ય આધાર લગ્ન શ્રી એન. સી. મહેતાએ પેાતાના The Studies in Indian Painting નામના પુસ્તકમાં ચિત્ર સાથે પાન ૬૯ થી ૭૩માં સાતમુ પ્રકરણ A Painted Epistle by Ustad Salivahana નામનું ઈ.સ. ૧૯૨૬માં લખ્યું હતું. મને અત્રે જાણાવતા દિલગીરી થાય છે કે આ ચિત્રપટ પણુ, ૪૮ ટિપ્પણી ૧ લેખ નં ૧,
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy