SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् नटति नृत्यतीति नटः रङ्गावतारकः, स वैराग्यम् विरागरसप्रसरसरसामाख्यायिकादिकाम्, पठति - रङ्गावतारसमये भणति, येन अभिनयाद्यलङ्कृतेन पठनेन, बहुकः - प्रभूतः, जनः - प्रेक्षकलोकः, निर्विद्यात् भवविरागमाप्नुयात्, तत् - वैराग्यावहं स्ववक्तव्यम्, तथा निर्वेदोत्पादनेऽमोघतया, पठित्वा - अभ्यासवशेन वाक्छटाविशेषसचिवमनुभण्य, शठः - स्वयं विरागलेशविरहिततया धूर्तः, जालेन - मत्स्यग्रहणसाधनतया कासारादिपानीयम्, समवतरति ४५ - प्रतीतेन सह जलम् मत्स्याशनलुब्धत्वेनावगाहयति । इत्थं च तस्य नटस्य वैराग्यवार्ता तन्मूलं पाण्डित्यं च वृथैवेत्याशयेनाह - જે નૃત્ય કરે તે નટ. તે તથાવિધ નાટકમાં ક્યારેક વૈરાગ્યના રસપ્રસરથી સરસ એવી આખ્યાયિકા વગેરેને વાંચે છે કે જે અભિનયયુક્ત પઠનથી ઘણા પ્રેક્ષકો સંસારનિર્વેદ પામે છે. આ રીતે નિર્વેદ થયા વિના ન રહે એ રીતે વિરાગના કારણભૂત પોતાનું વક્તવ્ય તે નટ બોલે છે. અભ્યાસના પ્રભાવે વિશિષ્ટ વાક્છટા સાથે તે વક્તવ્ય બોલ્યા પછી તે નટ પોતાનું પોત પ્રકાશે છે. તેના પોતાનામાં તો જરાય વિરાગ હોતો જ નથી. તેથી તે ધૂર્ત છે. એવો તે ધૂર્ત માછલા પકડવાની જાળ લઈને તળાવ વગેરેના પાણીમાં ઉતરે છે. માછલી ખાવાની તેની લોલુપતા જણાયા વિના રહેતી નથી. આ રીતે તે નટની વૈરાગ્યની વાતો અને તે વાતોના મૂળમાં રહેલી વિદ્વત્તા ફોગટ જ છે. એ આશયથી કહે છે – આ ભ્રષ્ટ ચરિત્રવાળું નટપાંડિત્ય સદ્ગતિમાં લઈ જતું 23 ४६ अहिंसोपनिषद् एवं नडपंडिच्चं भट्ठचरितं न सुग्गई नेइ । लोयं च पनवेई गई य से पाविया होई ॥२७॥ एतन् नटपाण्डित्यम् - अनन्तरं व्यावर्णितम्, कीदृशमित्याहभ्रष्टं चरित्रं यत्र तद् भ्रष्टचरित्रम् - व्यापन्नवृत्तम्, सद्गतिं न नयति नैव स्वर्गापवर्गी प्रापयितुं प्रत्यलं भवति । ननु ज्ञानालोकालोकिताखिललोकोऽपि कस्मान्न सुगतिमुपयातीति चेत् ? अत्राह- लोकं च प्रज्ञापयति वैदुष्यबलादसौ विदितलोकतया तत्प्रज्ञापनं तावत् करोत्येव, एतदंशेऽस्माकमप्यविप्रतिपत्तिः, किन्तु यथाज्ञानं हेयोपादेयपरिहारपर्युपास्तिविरहात् तेन तस्य - लोकस्य गतिः - नरकादिलक्षणा, प्राप्ता - सञ्चितपापનથી. લોકની પ્રજ્ઞાપના કરે છે અને તેની ગતિ પ્રાપ્ત થાય છે. ॥२७॥ હમણા જે નટની પંડિતાઈ કહી તેમાં ચારિત્રની ભ્રષ્ટતા છે. સુશીલતા મરી પરવારી છે. આવી પંડિતાઈ સ્વર્ગ કે મોક્ષરૂપી સદ્ગતિને પામવા સમર્થ થતી નથી. પૂર્વપક્ષ :- કેટલાક દેશકો પોતાના જ્ઞાનપ્રકાશથી સમગ્ર લોકને નિહાળતા હોય છે. તે પણ કેમ સદ્ગતિમાં ન જાય ? ઉત્તરપક્ષ :- હા, વિદ્વત્તાના બળે તે શ્રુતચક્ષુથી લોકને જુએ છે અને તેથી લોકની પ્રજ્ઞાપના તો કરે જ છે. એમાં તો અમને ય કોઈ વિપ્રતિપત્તિ નથી, પણ પોતાના જ્ઞાનના અનુસારે હેયનો પરિહાર અને ઉપાદેયની પર્વપાસના ન હોવાથી તે દેશક લોકની નરકાદિ ગતિને પામે છે. જે ગતિઓનું તે વર્ણન કરે છે તે જ ગતિઓમાં તેને પોતે ભેગા કરેલા પાપોને કારણે જવું પડે છે. અર્થાત્ ચાતુર્ગતિક १. च एवं। २ क- लोअं। ख लोगं । ३ ख घ. - वि ।
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy