SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) કર્મના નિયમો ૨૯૫ આત્માના જ્ઞાનાદિ કદી કર્મબંઘના કારણ નથી. આ સંબંધી વિચાર કરી જોઈ લે. |૧૧ાા જ્ઞાન, દર્શન, વીર્ય ગુણ બંઘ-હેતુ નહિ એમ, ભાવ-અભાવરૂપે ભલે; જીંવ બંઘાતો કેમ? ૧૨ અર્થ - આત્માના જ્ઞાનદર્શન વીર્યગુણ એમ કર્મબંઘના કારણ નથી. કૈવલ્યદશામાં જ્ઞાનાદિનો પૂર્ણ સભાવ અને નિગોદમાં જ્ઞાનાદિનો લગભગ અભાવ જેવો જીવ ભલે થાય તો પણ તે જ્ઞાનદર્શનાદિ ગુણો જીવને બંઘના કારણ નથી. તો આ જીવ કેવી રીતે બંઘાય છે? I૧૨ાા અયથાર્થ શ્રદ્ધાનસૃપ જે મિથ્યાત્વ ગણાય, ક્રિોશ, માન, માયા તથા લોભાદિક કષાય, ૧૩ હવે જીવ કેવી રીતે કર્મથી બંધાય છે તેના કારણો કહે છે : અર્થ :- જેમ છે તેમ વસ્તુનું સાચું શ્રદ્ધાન નથી તેને મિથ્યાત્વ અથવા દર્શનમોહ કહ્યો છે. અને ક્રોધ, માન, માયા, લોભાદિક જે કષાયભાવો છે તેને ચારિત્રમોહ કહેવાય છે. [૧૩] મોહનીય કર્મો થતા એ ઔપાથિક ભાવ; ટાળો કર્મનિમિત્ત તો, તેનો થાય અભાવ. ૧૪ અર્થ - મોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના કે કષાયના ભાવો થાય છે. તે ઔપાથિક ભાવ છે. કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. જેમ સ્ફટિકરત્ન નિર્મળ હોવા છતાં રંગીન ફુલોના નિમિત્તથી તે રંગીન જણાય છે. નિમિત્ત ન હોય તો રંગીન જણાતું નથી. તેમ ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, જપાદિમાં રહી કર્મબંઘના નિમિત્તોને ટાળવામાં આવે તો જીવને નવીન કર્મબંઘનો અભાવ થાય છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” (વ.પૃ.૪૮૩) I/૧૪ વિભાવરૂપ આ ભાવથી કર્મ નવન બંઘાય, મોહ-ઉદય શત્રુ મહા, જીંવનો મુખ્ય ગણાય. ૧૫ અર્થ :- રાગદ્વેષના વિભાવભાવોથી જીવને નવીન કર્મનો બંઘ થાય છે. આ મોહનીય કર્મનો ઉદય જીવનો મહાશત્રુ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. “શક્તિ મરોરે જીવકી ઉદય મહાબળવાન.” આઠેય કમોંમાં મોહનીય કર્મની મુખ્યતા ગણાય છે. ||૧પણા અઘાર્તા કર્મોનો ઉદય દે સામગ્રી બાહ્ય, તેમાં દેહાદિક તો જીંવ-ક્ષેત્રે બંઘાય. ૧૬ અર્થ - વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મોનો ઉદય જીવને બાહ્ય પૌલિક સામગ્રીનો મેળાપ કરાવે છે. જેમાં શુભ પુણ્યના ઉદયે શાતાવેદનીયનો અને અશુભ પાપના ઉદયે અશાતા વેદનીયનો જીવને અનુભવ થાય છે. તેમાં શરીર, રૂપ, રંગાદિ તો જીવના પ્રદેશો સાથે દૂઘ અને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહી સંબંઘ કરીને રહેલાં છે. ||૧૬ાા.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy