SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઘન, કુટુંબાદિ દીસે આત્માથી અતિ ભિન્ન, બંઘન-કારણ એ નહીં; બંઘ ન પર-આથીન. ૧૭ અર્થ : જ્યારે ઘન કુટુંબાદિ તો આત્માથી સાવ જુદા જણાય છે. એ બધા કાંઈ જીવને કર્મબંઘના કારણ નથી. કર્મનો બંઘ થવો તે પરવસ્તુને આધીન નથી. II૧થા આત્મ-ભાવ મમતાદિ ફૈપ મિથ્યાત્વાદિક નામ, દેહાદિક નિમિત્ત, પણ મોહ-કર્મનાં કામ. ૧૮ અર્થ - કર્મબંઘ થવાના મુખ્ય કારણો આ છે :- આત્માના મોહ મમત્વાદિ ભાવ જે મિથ્યાત્વ કષાયાદિકના નામે ઓળખાય છે, તે વડે જીવને નવીન કર્મનો બંઘ થાય છે. દેહ કુટુંબાદિ તો તેમાં નિમિત્ત માત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવા મોહ મિથ્યાત્વના ભાવો જીવને નવા કર્મબંઘનું કારણ છે, અને– “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એવી આત્મભાવના તે કર્મ છોડવાના કારણરૂપ છે. ૧૮. નામકર્મના ઉદયે દેહ, વચન, મન થાય; તે ત્રણની પ્રવૃત્તિથી જીંવ-પ્રદેશ કંપાય. ૧૯ અર્થ - નામકર્મના ઉદયથી જીવને આ શરીર, વચન અને મન પ્રાપ્ત થાય છે. એ મન વચન કાયા ત્રણેય યોગની પ્રવૃત્તિથી એટલે ચેષ્ટાના નિમિત્તથી જીવના પ્રદેશો કંપાયમાન થાય છે. ૧૯ તેથી શક્તિ બંઘની આત્મામાં પ્રેરાય, જીવ-પ્રદેશે વર્ગણા પુગલની બંઘાય. ૨૦ અર્થ :- આત્માના પ્રદેશો કંપાયમાન થાય છે તેથી આત્મામાં કર્મબંઘ કરવાની શક્તિની પ્રેરણા મળે છે. આત્મા કર્મ તરફ પ્રેરાવાથી આત્માના પ્રદેશે તે પૌગલિક કાર્મણ વર્ગણાઓ આવીને બંધાઈ જાય છે. કાશ્મણ વર્ગણાઓ અનંત પુદ્ગલ પરમાણુની બનેલી હોય છે. ૨૦ના જીંવ-પ્રદેશ ને વર્ગણા એકક્ષેત્ર-અવગાહ; જે શક્તિથી થાય તે જાણો યોગ-પ્રવાહ. ૨૧ અર્થ - જીવના પ્રદેશો અને કાર્મણ વર્ગણાઓ એક ક્ષેત્રમાં અવગાહ એટલે જગ્યા રોકીને દૂધ અને પાણીની જેમ રહેલ છે. જે શક્તિવડે કાશ્મણ વર્ગણાઓને આવવારૂપ ક્રિયા થાય છે તેને મનવચનકાયાના યોગનો પ્રવાહ જાણો. ર૧ાા સમય સમય તેથી ગ્રહે કર્મ-વર્ગણા જીવ, જીવ-વીર્ય કર્મો ગ્રહે, પણ સૌ કર્મ અજીવ. ૨૨ અર્થ - સમયે સમયે મનવચનકાયાના યોગથી જીવ કર્મ-વર્ગણાને ગ્રહણ કરે છે. પણ તેમાં આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ અર્થાત્ કષાયભાવમાં આવી જઈ તે કાર્મણ વર્ગણાઓને કર્મરૂપ પરિણાવે છે ત્યારે કર્મનો બંધ થાય છે. પણ સર્વ કર્મ અજીવરૂપ છે. ૨૨
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy