SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તેમ કર્મ-મલથી મલિન એવા આત્માને શુદ્ધ કરવા માટે કર્મના જે સિદ્ધાંતો હોય તેને પણ જાણવા જોઈએ. કેમકે ક્રોધના ફળ કડવા છે અને ક્ષમાનું ફળ પ્રત્યક્ષ સુખશાંતિ સ્વરૂપ છે. એમ બુથ એટલે જ્ઞાની પુરુષો સર્વ ભાવોના ફળ કહી ગયા છે. પા. વાદળથી રવિ-તેજ સમ, કમેં જીંવ અવરાય; આછા વાદળથી વળી પ્રકાશ જેમ જણાય- ૬ અર્થ :- અહીંથી “મોક્ષમાર્ગ પ્રકાશક'ના બીજા અધિકારના આધારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કાવ્યમાં આ ભાવ વધ્યો છે. વાદળથી જેમ સૂર્યનું તેજ ઢંકાય છે તેમ આત્માના ગુણો પણ કર્મથી આવરણ પામે છે. વાદળ જેમ આછા થાય તેમ સૂર્યનો પ્રકાશ વ્યક્ત થાય છે. IIકા તેમ આત્મ-ગુણ દીપતા, કર્મ મંદ જ્યાં થાય; કર્મ-જનિત તે ગુણ નહિ, પ્રકાશ નહિ ઘનમાંય. ૭ અર્થ :- તેમ આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિના મંદ થવાથી અર્થાતુ ક્ષયોપશમ થવાથી પ્રગટ થાય છે. તે જ્ઞાન, દર્શન, વીર્ય સ્વભાવ આદિ ગુણો કર્મથી ઉત્પન્ન થયેલા નથી; જેમકે પ્રકાશ છે તે વાદળાઓ નથી પણ સૂર્યનો છે. ||શા અંશે જીંવ-ગુણ ઝળકતા, કદી અભાવ ન થાય, જાણે, દેખે તે ગુણે, જીવ સદાય જણાય. ૮ અર્થ - કોઈપણ વસ્તુ સ્વભાવના અંશનો કદી પણ નાશ થતો નથી, તેમ જીવ દ્રવ્યના જ્ઞાનદર્શનમય સ્વભાવનો અંશે પણ ગુણ સદા ઝળકતો રહે છે. નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગે જીવનો જ્ઞાનગુણ વિદ્યમાન રહે છે. જાણવું, દેખવું કે જ્ઞાનદર્શનમય ગુણ એ જીવનો સદાય રહે છે. જે હમેશાં જાણ જાણ કરે તે જીવ દ્રવ્ય છે. અને જે કોઇકાળે જાણી શકે નહીં તે જડ દ્રવ્ય છે. ઝાડમાં પણ જીવ છે તો વધે છે. ફુલમાં પણ જીવ છે તો સુંદર લાગે છે. ફુલમાંથી જીવ નીકળી જાય તો તે કરમાઈ જાય છે. ૧૮ બંઘ-હેતુ નહિ આ ગુણો, નહીં સ્વભાવે બંઘ; સ્વભાવ બંઘ-હેતુ ગણ્ય, કદી ન થાય અબંઘ. ૯ અર્થ – આત્માના જ્ઞાનદર્શનગુણો અર્થાત્ જાણવું, દેખવું એ કર્મબંઘના કારણો નથી. તેમજ નવીન કર્મબંઘ કરવાનો આત્માનો સ્વભાવ નથી. જો જીવનો સ્વભાવ જ કર્મબંઘ કરવાનો હોય તો આત્મા કદી પણ અબંઘદશા પામી શકે નહીં. કા. અભાવ જ્ઞાનાદિ તણો, કર્મોદયે જણાય, તે પણ નવીન કર્મનો, બંઘન-હેતુ ન થાય. ૧૦ અર્થ :- નિગોદ આદિમાં જ્ઞાનાદિ ગુણોનો અત્યંત અભાવ થાય છે તે જીવના કર્મના ઉદયને લઈને છે. કર્મનો ઉદય નવીન કર્મબંઘનું કારણ થાય જ એવો કોઈ નિયમ નથી. II૧૦ના જેનું અસ્તિત્વ જ નથી, તે કારણ ના હોય કોઈ નવીન કાર્યો કદી; વિચાર કરી લે જોય. ૧૧ અર્થ :- આત્માના જ્ઞાનાદિ મૂળ સ્વભાવમાં કર્મનું અસ્તિત્વ જ નથી. તેથી કોઈ નવીન કાર્યમાં
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy