SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १७० मुक्तिवादः नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम् । मान-प्रमाणं चात्र-मुक्तौ दुःखत्वमिति पक्षः। आत्मकालान्यग-आत्मकालान्याकाशादिवृत्तिर्यो ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत्पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तत्सिद्धिप्रसङ्गात्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः, दुःखत्वस्य दुःखवृत्तित्वाद् । ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि, कालान्यवृतीत्याधुक्तावपि कालान्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि, कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि दु:खे विद्यमानत्वात् सैवेति संपूर्णम् । आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम् ॥१॥ આત્મામાં આવો દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુઃખધ્વંસ સ્વાદુઃખધ્વસ) સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુઃખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુ:ખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદેશ દુ:ખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુ:ખધ્વંસ પર છે. માત્ર સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવાસમાનદેશીય દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવામાં આવે અર્થાત્ દુઃખપ્રાગભાવનું સ્વસમાનાધિકરણત્વ વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુઃખધ્વસના સમાનકાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુ:ખપ્રાગભાવ પણ છે. તેથી તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુ:ખધ્વસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવનું અસમાનદેશિત્વ(ભિન્નાધિકરણવૃત્તિત્વ-વ્યધિકરણત્વ) ચૈત્રાદિવૃત્તિ દુ:ખધ્વંસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવને) લઈને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. માત્ર સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવાસમાનદેશ–સ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસંગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુ:ખધ્વંસ તથા પૂર્વે દુઃખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુઃખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિતત્વ જ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે. દુઃખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુઃખપ્રાગભાવ સ્વસમાનકાલીનદુઃખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. આથી સમજી શકાશે કે ચરમદુઃખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે : એ તાત્પર્ય છે. ચરમદુઃખધ્વંસ અને પરદુઃખધ્વસનું સ્વરૂપ ઉપર જણાવ્યા મુજબનું છે. જો કે આ રીતે “સમાનતીનસ્વસનાધિકરણદુઃપ્રામાવીસમા શતં પરત્વમ્” અહીં ‘વ’ પદથી ચરમદુઃખધ્વસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy