SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिद्वात्रिंशिका १७१ ચરમસ્વંસ(દુઃખધ્વસ) સમકાલીન દુઃખપ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે – “જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવના સમાનદેશમાં (સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુ:ખધ્વસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુ:ખધ્વસને પર દુ:ખધ્વસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો, આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુઃખધ્વસથી ભિન્ન એવો દુઃખધ્વસ, મુક્તાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદેશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુઃખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત મુક્તાત્માઓના આત્માના દુ:ખધ્વંસમાં છે જ. स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं परत्वम् मही यद्यपि સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ: આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે સ્વમાનકાલીન(ચરમદુઃખધ્વંસસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુ:ખપ્રાગભાવનું અસમાનદેશવ, મુક્તાત્માઓના ચરમદુ:ખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુઃખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુઃખપ્રાગભાવનું પણ અસમાનદેશ– મુક્તાત્માઓના દુ:ખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુ:ખધ્વસમાં તાદેશ અસમાનદેશવ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુ:ખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે. સમાનધરળદુઃપ્રામાવાસમાનીતીનદુ:વૃધ્વી મુક્ટિ: - આ એક લક્ષણ છે અને સ્વસમાનાનીનદુઃખામીવાસમાનાધરણો ટુઃgāસો મુ$િ: – આ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છે -માનં દુઃવૃત્વમત્ર વ....ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે – “માત્માની ધ્વંસપ્રતિયોગિન્યવૃત્તિમદ્ ટુ વૃત્વમ્, સુરપ્રા'માવાનાધારાäસપ્રતિયોવૃત્તિમત્ સ%ાર્યમાત્રવૃત્તિત્વીદ્ દ્વીપર્વવ” આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનાર-વર્તમાન) શબ્દાદિનો જે ધ્વંસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ શબ્દાદિમાં દુઃખત્વ અવૃત્તિ છે. (અવર્તમાન છે.) દુ:ખત્વમાં તાદેશ-આત્મકાલા ગધ્વંસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદેશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં ‘દુ:ખત્વ” પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અર્થાતરદોષ ન આવે – એ માટે માત્માનાચાર્બાસપ્રતિયોગિચવૃત્તિત્ત્વ (પ્રતિયોવૃત્તિત્વ): આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુ:ખપ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે. આથી સમજી શકાશે કે અહીં દુઃખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદેશ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy