SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ १५० मुक्तिवादः कर्मानुत्पाद इव सञ्चितकर्मनाशेऽपि सामर्थ्यम्, यथा भाविशीतस्पर्शानुत्पादसमर्थस्योष्णस्पर्शस्य पूर्वशीतस्पर्शनाशेऽपीति नाऽनिर्मोक्षः । तस्याञ्च दशायां परमानन्दार्थितयैव प्रवृत्तिः । (१८) यद्वा कर्मक्षयद्वारा ज्ञानक्रियासाध्यः परमानन्द एव मुक्तिः । न हि કાયવ્હકલ્પના અપ્રામાણિક સ્યાદ્વાદી - દ્રષ્ટo | એક સાથે એક જીવને એક ઔદારિક શરીર હોય તેમ દેખાય છે. તેથી યોગી પુરુષ અનેક ભવોમાં ભોગવી શકાય તેવા કર્મોને માત્ર એક જ ભવમાં ભોગવવા એક સાથે અનેક શરીરની રચના કરે છે એવી કલ્પના કરવી તે દષ્ટથી વિપરીત કલ્પના છે. પ્રત્યક્ષાનુસારેપ્રમાણાનુસારે કલ્પના કરવી ઉચિત કહેવાય. તથા જીવ પોતાનો માનવદેહ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી ડુક્કર, ખચ્ચર વગેરેના શરીરની ઉત્પત્તિ થઈ ન શકે, કારણ કે પૂર્વતન માનવદેહ એ ભૂંડશરીર વગેરેનો પ્રતિબંધક છે. માટે યોગી તત્ત્વજ્ઞાન વગેરેના મહિમાથી કાયવૂહ =વિજાતીય દેહસમૂહની રચના કરે છે તે વાત વ્યાજબી નથી. વસ્તુસ્થિતિ એવી છે કે કયારેક પ્રાયશ્ચિત વગેરે દ્વારા પણ તે કર્મોનો નિકાલ કરે છે. માટે ભોગ, તત્ત્વજ્ઞાન, પ્રાયશ્ચિત્ત વગેરેમાં એક શક્તિવિશેષની કલ્પના કરવી જરૂરી છે. તેથી એક શક્તિમત્ત્વન =શક્તિવિશેષવિશિષ્ટ હોવા રૂપે ભોગ, તત્ત્વજ્ઞાન વગેરેને કર્મનાશક માનવા ઉચિત છે. જો ભોગથી જ કર્મનો નાશ માનવામાં આવે તો તે તે કર્મોને ભોગવતાં પૂર્વસંચિત કર્મસ્વરૂપ નિમિત્તના વ્યાપારથી નવા નવા પ્રચુર કર્મોની ઉત્પત્તિ થયે રાખશે. આ રીતે તો જીવનો ક્યારેય મોક્ષ નહિ થાય. અનાદિકાળથી દરેક જીવો કર્મોને પ્રત્યેક સમયે ભોગવે છે જ, છતાં બધા જીવોનો કર્મોથી છૂટકારો નથી થયો એ હકીકત છે. માટે માત્ર ભોગવવાથી જ કર્મનો નિકાલ થાય છે એમ માનવું યોગ્ય નથી. નૈયાયિક :- સામાન્ય જીવો કર્મોને ભોગવતાં ભલે નવાં કર્મ બાંધે. પરંતુ યોગી પુરુષ કાયલૂથી કર્મોને ભોગવશે તો પણ નવા કર્મોને ભેગાં નહિ કરે, કારણ કે તેના તત્ત્વજ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે જૂના કર્મ ભોગવવા છતાં નવા કર્મ ઉત્પન્ન થવા ન દે. આ જ યોગીના તત્ત્વજ્ઞાનનો મહિમા છે. સ્યાદ્વાદી :- તત્ત્વ | તત્ત્વજ્ઞાનમાં જેમ આગામી કર્મની ઉત્પત્તિને અટકાવવામાં સામર્થ્ય છે, તેમ પૂર્વે ભેગાં કરેલા કર્મોનો નાશ કરવાની પણ તાકાત છે. જે રીતે ઉષ્ણ સ્પર્શમાં નવા શીત સ્પર્શની ઉત્પત્તિને અટકાવવાનું સામર્થ્ય છે તેની સાથે સાથે જૂના શીત સ્પર્શનો નાશ કરવાનું પણ સામર્થ્ય છે. તે જ રીતે ઉપરોક્ત વાત સંગત થઈ શકે છે. માટે માત્ર ભોગવવાથી જ કર્મનાશ થાય છે–એવું માનવું અસંગત છે. તત્ત્વજ્ઞાનથી પણ કર્મનો ક્ષય થઈ શકે છે. માટે મોક્ષ નહીં થવાની આપત્તિને અવકાશ નથી રહેતો. આથી મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિનો ઉચ્છેદ પણ નહીં થાય. મોક્ષ અવસ્થામાં પરમાનંદના અર્થીપણાથી જ જીવની પ્રવૃત્તિ થાય છે. મુક્તિ પરમાનન્દસ્વરૂપ–જૈન (૧૮) યદ્દા | અથવા એમ પણ કહી શકાય કે મોક્ષ પરમાનન્દસ્વરૂપ જ છે. મોક્ષનું
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy