SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३४७ પત્ર નં. ૮ અને ૧૩. આ બે પત્ર કોરા છે. આખી પ્રતમાં અક્ષરો નાના મોટા થઈ ગયા છે. શ્રી જયરંગમુનિ પછી લગભગ ૪૫ વર્ષે લખાયેલી હોવા છતાં, વાચવામાં કલિષ્ટ હોવાથી અભ્યાસમાં તેનો ઉપયોગ કર્યો નથી. ( ૪ ) આ પ્રત પર ગ્રંથ ભંડારનું નામ અંકિત થયું નથી. ડાભડા ક્રમાંક- ૨૫, ગ્રંથ ક્રમાંક-૫૧૫, પત્ર સંખ્યા - ૨૨. પ્રત પ્રારંભ ઃ ।।૬૦।।પૂ।।।પૂછ્યુંપૂટ્યાની प्रतना अंते : इति श्री कयवन्ना चोपाई दानविषये संपुर्ण । संवत १८०७ ना वर्षे महा वद १३ दिने श्री नवानगर मध्ये श्री आदिनाथ प्रासादात् पं. उत्तमविजय लपि एके शुभं भवतु | कल्याणमस्तु ।। ( ૫ ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય પુસ્તકાલય - મુંબઈ ગ્રંથ ક્રમાંક- ૧૫૦, ૫ત્ર સંખ્યા - ૧૯. આ પ્રતના અંતે પુષ્પિકા અનુસાર આ પ્રતનું લિપ્યાંતર અંચલગચ્છના શ્રી હર્ષગણીજી મ.એ કાંડાગરા ગામમાં કર્યું છે. તેની સંવત નોંધાયેલી નથી. ( ૬ ) શ્રી લાવણ્યવિયજી જૈન જ્ઞાન ભંડાર - રાધનપુર. ડાભડા ક્રમાંક- ૨૮, ગ્રંથ ક્રમાંક- ૧૩૦૭૮, પત્ર સંખ્યા - ૧૦. આ હસ્તપ્રત અપૂર્ણ છે. ( ૭ ) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર - અમદાવાદ. ગ્રંથ ક્રમાંક- ૩૮૬૬, ૫ત્ર સંખ્યા - ૨૦. પ્રતિલેખન સંવત આપી નથી. (૮) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર - અમદાવાદ. ગ્રંથ ક્રમાંક - ૧૮૧૧૦, પત્ર સંખ્યા - ૨૯, પ્રતનું લિપિકરણ - સંવત ૧૮૧૩, લાલજી નામના કોઇ લહિયાએ કર્યું છે. (૯) શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર- લીંબડી. ડાભડા ક્રમાંક ૧૦, ગ્રંથ ક્રમાંક- ૨૬૦૪. આ હસ્તપ્રત અપૂર્ણ છે. કડી નં. ૧૨ થી શરૂ થાય છે. પ્રત પ્રારંભ : સવરોનાયો રેતેનેં રીતનું નવતો... પ્રતના અંતે રૂતિ શ્રી યવન્ના વોવાર્ડ સંપૂર્ણ ।। સંવત ૧૮૪૬ સો વેિ ૭ વાર રવૌ, શ્રી તાવડી જેઠ વદ - ૧૦ના मध्ये पूज्य भट्टारक श्री १०८ श्री श्री अमरसागर सूरीश्वरजी तत् शिष्य मुनि सुंदरसागरजी तत् शिष्य पंडित विमलसागरजी तत् शिष्य मुनि हस्तिसागरजी गणि योग्य तत् शिष्य मुनि लिखितं मुनि ललितसागरेण વાંચનાર્થ ।।શ્રી।।ઇ ।।શ્રી સંવતગચ્છેશઃ ।। શ્રી જ્યાળમસ્તુ।। આ પ્રતનું સં. ૧૮૪૬, આસો વદ ૭, રવિવારે લીંબડીમાં થયું છે. અંચલગચ્છના આચાર્ય પ્રવર શ્રી અમરસાગરજી – શ્રી સુંદરસાગરજી → શ્રી વિમલસાગરજી → શ્રી હસ્તિસાગરજીએ પોતાના શિષ્ય લલિતસાગર મુનિના વાચનાર્થે લખી છે. (૧૦) શ્રી વિજયગચ્છ જ્ઞાનભંડાર - રાધનપુર. ડાભડા ક્રમાંક- ૩૦, ગ્રંથ ક્રમાંક- ૮૫૧, પત્ર સંખ્યા- ૨૨, લિપિકરણ - સંવત ૧૭૬૫, જેઠ વદ - ૦, શ્રી ધનવિજયજી ગણિવરે પોતાના ગુરૂની પ્રેરણાથી લખી છે. આ હસ્તપ્રત મૂળ પ્રત પરથી ૪૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy