SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ "से किं तं-वेयावच्ये? वेयावच्ये दसविहे पन्नते, तं जहा (१) आयरिय-वेयावच्ये, (૨) વહ્વાય-વેરાવળે, (3) શેર-વેરાવળે, (૪) તરિક્ષ-વેરાવળે, (9) વિભાણ-વેરાવળે, (૬) સેદ-વેયાવળે (૭) 9-વેયાવચ્ચે, (૮) ગા-વેયાવચ્ચે, (2) संघ-वेयावच्ये, (१०) साहम्मिय-वेयावच्ये | से तं वेयावच्ये। “હે ભગવંત્ ! તે વૈયાવૃત્ય કેવું હોય ? (ભગવાન કહે છે. તે આયુષ્યનું) વૈયાવૃત્ય દશ પ્રકારનું કહેલું છે, તે આ રીતે : (૧) આચાર્યનું વૈયાવૃત્ય (૨) ઉપાધ્યાયનું વૈયાવૃત્ય. (૩) સ્થવિર એટલે વૃદ્ધ સાધુનું વૈયાવૃત્ય. (૪) તપસ્વીનું વૈયાવૃત્ય. ગ્લાન એટલે માંદા કે અશકત સાધુનું વૈયાવૃત્ય. (૬) શૈક્ષ એટલે નવદીક્ષિત હોઇને જે શિક્ષા પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ય. (૭) કુલ એટલે એક આચાર્યનો સમુદાય, તેનું વૈયાવૃત્ય. (૮) ગણ એટલે જુદા જુદા આચાર્યોના સમાન વાંચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ય. (૯) સંઘ એટલે સક્લ શ્રમણસંઘ,તેન વૈયાવૃત્ય. (૧૦) સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા મુનિઓનું વૈયાવૃત્ય. વૈયાવૃત્ય કરનારે કેવી નમ્રતા રાખવી જોઇએ, તે માટે કૂબડા-નંદિષેણ મુનિનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. ગૃહસ્થો પણ સાધુ, સાધ્વી, તેમજ સાધમિકોની નિષ્કામ સેવાભકિત કરીને આ તપનું આચરણ કરી શકે છે. સ્વાધ્યાય અને દયાન તત્ત્વચિન્તનાદિ કરવું, એ સ્વાધ્યાય નામનો તપ છે અને ચિત્તને સારી જગ્યાએ વિધિ મુજબ સ્થિર કરી દેવું, એ ધ્યાન નામનો તપ છે. (૪) સ્વાધ્યાય 4u મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરવું તે સ્વાધ્યાય કહેવાય છે. અથવા સ્વ એટલે આત્મા, તેના હિતાથ આપવચનનો અધ્યાય કરવો, અર્થાત્ મનન કરવું, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. અથવા ઇષ્ટમંત્રનો જપ કરવો, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય કરતાં અશુભ પ્રવૃત્તિઓ રોકાય છે, તથા મનના ભાવો નિર્મળ થતાં કર્મની નિર્જરા થાય છે, તેથી સ્વાધ્યાયનો સમાવેશ અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે वायणा पुच्छणा चेव, तहेव परियट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ।। સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : (૧) વાચના, (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪)અનપેક્ષા અને (૫) ધર્મકથા. તત્ત્વાર્થસૂત્રમાં પણ સ્વાધ્યાય પાંચ પ્રકારનો જ કહાો છે, પણ તેના ક્રમમાં થોડો ફેર છે. જેમકેવાવનાપ્રચ્છનાડનુ પ્રેક્ષીડબ્બાયધર્મોપદેશ: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આખાય અને Page 257 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy