SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયની એક વ્યાખ્યા એમ પણ કરવામાં આવે છે કે- ‘વિનીયતે-વિશેષે દૂરી વિઝ્યતેડવિધ વર્માનેનેતિ વિનય:- જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય.' આ પ્રકારના વિનયને મોક્ષવિનય હેવામાં આવે છે. તેના દશવૈકાલિકનિર્યુક્તિમાં પાંચ પ્રકારો ણાવ્યા છે. જેમ કે હંસા-નાળ-રિતે, તવ 1 તહ ગોવયારણ વેવ । સો 1 મોવવ-વિળો, પંવિદો હોફ નાયવ્યો ।। ‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી, તેમજ ઔપચારિક એવી રીતે મોક્ષવિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે.' (૧) દર્શનવિનય દર્શનાચરણમાં વ્હેલા નિ:શંક્તિ, નિ:કાંક્ષિત આદિ આઠ પ્રકારના નિયમો પાળવા તથા પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (ધર્મ, અધર્મ, દેવલોક, નારક ઇત્યાદિ પદાર્થો છે એવી પ્રતીતિ) તે સમ્યક્ત્વ લક્ષણને ધારણ કરવાં, તે દર્શનવિનય હેવાય. (૨) જ્ઞાનવિનય જ્ઞાનાચારમાં વ્હેલા કાલ, વિનય આદિ આઠ પ્રકારના નિયમો પાળવા તથા મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું શ્રદ્વાન અને બહુમાન કરવું, તે જ્ઞાનવિનય હેવાય. (૩) ચારિત્રવિનય સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા, તેનું વિધિપૂર્વક પાલન તથા તેની સત્પ્રરૂપણા, તે ચારિત્ર વિનય હેવાય. (૪) તવિનય બાર પ્રકારના તપમાં શ્રદ્દા તથા તેનું યથાશક્તિ આચરણ, તેને તપવિનય કહેવાય. (૫) ઉપચારવિનય સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ઉત્તમ ગુણયુક્ત મુનિ વગેરેને દેખી ઊભા થવું, સામે વું, હાથ જોડવા, પ્રણિપાત કરવો, મિષ્ટ સંભાષણ કરવું ઇત્યાદિ શુદ્ધ ક્રિયાના વ્યવહારરૂપ જે વિનય કરવો, તે ઉપચાર વિનય હેવાય. વૈયાવચ્ચ કોઇ પણ ગુણસમ્પન્નની તક્લીફમાં કે સારી સ્થિતિમાં, યથોચિતપણે, તેના તરફના કશા પણ બદલાની આશા વગર સેવા કરવી, એ વૈયાવચ્ચ નામનો તપ છે. (૩) વૈયાવૃત્ય તા ધર્મસાધનનિમિત્તે અત્રપાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમજ સંયમની આરાધના કરનાર ગ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, તે વૈયાવૃત્ત્વ ક્લેવાય છે. નિ:સ્વાર્થ સેવાભક્તિ અને તિતિક્ષા વિના આવું વૈયાવૃત્ત્વ થઇ શક્યું નથી, તેથી તેનો સમાવેશ અત્યંતર તપમાં કરેલો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં ક્યું છે કે ‘વેયાવજ્યેળ હિત્થવરનામનુત્તે માંં નિબંધફ- વૈયાવૃત્ત્વથી તીર્થંકર નામગોત્ર બંધાય છે.’ ભગવતીસૂત્રના પચીશમા શતક્ના સાતમા ઉદ્દેશમાં વૈયાવૃત્ત્વના દશ પ્રકારો નીચે મુજબ ણાવેલા છે : Page 256 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy