SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ करोपि खेव चाटूनि लोभेनापाकृतं स्मर ||९|| જેવી રીતે કુતરો એક નાના ટુકડાના લોભે ટુકડો આપનારને પ્રસન્ન કરવાને કોઇવાર પેટ બતાવે છે, કોઇવાર પુંછડી હલાવે છે અને કોઇવાર પગમાં પડે છે, એવી રીતે ‘કોઇ પૂરેપૂરું ધન તો નથી આપી દેવાનું, થોડું ધન મળે કે નહિ એ પણ શંકા છે.' એ જાણવા છતાં તું વિદ્વાન થઇને તેને પ્રસન્ન કરવા માટે કોઇવાર ગાયનથી, કોઇવાર હાસ્યથી, કોઇવાર વિનોદથી અને કોઇવાર શાસ-ચર્ચાથી તેની ખુશામત કરે છે. આ ઉત્તમ મનુષ્ય સ્વભાવને છુપાવીને તારામાં લોભે કુતરાનો સ્વભાવ ઉત્પન્ન કર્યો છે. હે ! વિદ્વાન માણસ ! લોભે કરેલી આ ખરાબી તરફ જરા ધ્યાન આપ. लोहार्गलो भद्रहरो लोलात्तको भयप्रदः । लुनात्युभौ च यल्लोकौ तेन लोग: प्रकीर्तितः ||१०|| લોભીની બુદ્ધિ જે જે વિષયમાં ફસાઇ જાય છે ત્યાંથી નીકળી શકતી નથી, એટલા માટે લોભને લોઢાની બેડી હેલ છે. જેની બુદ્ધિ ઉપર લોભ સવાર થઇ જાય છે તેને સુખ ચેન નથી રહેતું, એટલા માટે લોભને ભદ્રહર (કલ્યાણનાશક) ક્યેલ છે. સજીવ પદાર્થોમાં જ્યાં ચંચળતા-ચેષ્ટા ઘણી છે, ત્યાં ત્યાં લોભ રહે છે અર્થાત્ ચંચળતા લોભનું ચિન્હ છે, એટલા માટે લોભને લોલાંતક (ચંચળતાનો રોગ) કહેવામાં આવેલ છે. જ્યાં જ્યાં ભય છે ત્યાં ત્યાં લોભ હોય છે, એટલા માટે લોભને ભયપ્રદ વામાં આવેલ છે. લોભી મનુષ્ય દાન નથી કરતો, જેને લઇને એનો પરલોક બગડે છે. ભોગ નથી કરી શક્યો, જેથી એનો આ લોક પણ દુ:ખમય બની જાય છે. એ રીતે ‘૩મો લોગે યુવાતિ’ આ લોક અને પરલોક્નો નાશ કરવાથી એને લોભ હેવામાં આવે છે. सकामा: कामिनीलुब्धा निष्कामा मोक्षलोभिनः । भावलुब्धो हि भगवान् निर्लोभोडत्यन्तदुर्लभः ||११|| સકામી લોકો કામિની તથા કાંચનના લોભી હોય છે, નિષ્કામ લોકોને પણ મોક્ષનો લોભ લાગ્યો હોય છે, ભગવાન પણ ભાવ-પ્રેમના લોભી છે એ પ્રસિદ્ધ છે. તેથી લોભરહિત પુરૂષ અત્યંત દુર્લભ છે. એવા ભગવાનના આશ્રયથી લોભને જીતી શકાય છે. दुग्धकेनोज्वला शय्या बाला चरणसेविनी । નિદ્રાં ન લમતે મૂપ:પરરાષ્ટ્રનિમીશયા 119શો સુવા માટે દુધના ફીણ જેવા સફેદ પલંગ અને ચરણ સેવા માટે નવી યુવતી જેવા સાધનો હોવા છતાં પણ રાજાને બીજાનું રાજ્ય જીતવાના લોભને લઇર્ન સુખની નિદ્રા નથી આવતી. मार्गेषु मिलिताश्वाराः सख्यं तैः सह वर्धितम् | તે મતા ઘનમાવાય પશ્વાચ્છોતિ મન્વંઘીઃ ।।9।। પહેલાં તો સંસારરૂપી જંગલમાં રખડતાં રખડતાં સ્ત્રીપુત્રાદિ રૂપધારી ચોર મળ્યા, પછી તેની સાથે મિત્રતા વધવા લાગી, તેઓ આના કમાયેલા ધનને લઇને ચાલ્યા ગયા, એટલે પાછળથી એ મૂઢ મનુષ્ય શોક કરવા લાગે છે. स्वामी तु चौरवद् द्रव्यं गोपायति यतस्ततः । भार्यापुत्रादयश्वौरा भुज्जते स्वामिनो यथा ||१४|| રખનાર માલીક તો ચોરની માફક ગમે તેમ કરીને ધન બચાવે છે-છુપાવે છે. (નથી દાન કરતો, Page 107 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy