SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાંતિક દેવો- નવ પ્રકારના છે તે પાંચમા દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં કૃષ્ણ રાજીના આઠ દિશામાં આઠ અને એક મધ્યમાં પોતાના પરિવાર સાથે રહેલા છે. આ દેવો એકાવતારી હોય છે. મતાંતરે સાત અથવા આઠ ભવ છે. તેમનો આચાર દિક્ષા અવસર પહેલા એક વર્ષ અગાઉ તીર્થકરો પાસે જઇ આપ ધર્મ તીર્થ પ્રવર્તાવો એમ વિનંતી કરવાનો છે. શરીરની ઉંચાઇ જાન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી પહેલા બીજા દેવલોક પહેલો કિલ્બિપીયો- ૭ હાથ, ત્રીજો ચોથો દેવલોક બીજો કિસ્બીષીયો ૬ હાથ પાંચમો છઠ્ઠો દેવલોક ત્રીજો કિસ્બીપીયો નવ લોકાંતિક- પાંચ હાથ સાતમો આઠમો દેવલોક ૪ હાથ. નવ-દશ-અગ્યાર-બાર દેવલોક-૩ હાથ નવરૈવેયક દેવોની ૨ હાથ અને પાંચ અનુત્તર વાસી દેવોની ૧ હાથની કાયા હોય છે. આયુષ્ય- જઘન્યથી પલ્યોપમ ઉત્કૃષ્ટ- ૩૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન પ્રાણો-૧૦, આયુષ્ય, કાયબલ, પાંચ ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, વચનબલ અને મનબલ. દેવભવના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ કહેવાય. શરીર પર્યામિ પૂર્ણ કરે ત્યારે કાયબલ પ્રાણ પેદા થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે પાંચ ઇન્દ્રિયના પ્રાણો શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય. ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચન બલ નામનો પ્રાણ ચાલુ થાય અને મન પર્યાપ્તિ પૂર્ણ થયે મનબલ પ્રાણ પેદા થાય છે. યોનિ સમુદાય ગત- ચાર લાખ યોનિ દેવોની હોય છે. આ રીતે દેવગતિના- ૧૯૮ ભેદો થયા. ૨૫ ભવનપતિ- ૨૬ વ્યંતર-૧૦ જ્યોતિષ- ૩૮ વૈમાનિકના મલીને ૯૯ ભેદો થાય છે તે ૯૯ અપર્યાપ્તા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદો થાય છે. અહીં જે અપર્યાપ્તા જીવો કહ્યા છે તે અપર્યાપ્ત અવસ્થા એક અંતર્મુહૂર્તની હોય છે તે અપેક્ષાએ છે પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામે તે અપેક્ષા નથી. આ દેવોના જીવોને લોભ, કષાય વિશેષ હોવાથી ભવનપતિ-વ્યંતર જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા પહેલો કિસ્બીલીયો આ ૬૪ પ્રકારના દેવો મનુષ્યની જેમ અત્યંત ક્રોધાદિ કષાયો કે લોભ કષાયના પરિણામમાં એકેન્દ્રિયમાં જવાલાયક આયુષ્ય બાંધીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોકના દેવો, બીજો ત્રીજો કિલ્દીષીયો અને નવ લોકાંતિક દેવો મરીને તિર્યંચમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. નવ લોકાંતિકના વિમાનના મુખ્ય નવ છોડીને તે વિમાનમાં રહેલાં બીજા દેવો મરીને તિર્યંચમાં જઇ શકે છે. નવમા દેવલોકથી પાંચ અનુત્તર સુધીના મરીને મનુષ્ય થાય છે. સંસારમાં કેટલાક તથા ભવ્યત્વ વાળા જીવો એવા પ્રકારના હોય છે કે મનુષ્ય ભવ અને દેવલોકનો ભવ એમ વારંવાર ભવો કરતાં એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે. પછી એક ભવ બેઇન્દ્રિયનો. પાછા મનુષ્ય Page 175 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy