SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર જ્યોતિષીના અઢીદ્વીપની બહાર અસંખ્ય અસંખ્ય પરિવારો છે. તે સંપૂર્ણ તિÁલોકમાં અલોકથી ૧૧૧૧ યોજનનું આંતરૂં રાખીને પથરાયેલ છે. અર્થાત્ રહેલા છે. સ્થાન- સમભુતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર અને ૯૦૦ યોજનની અંદર એટલે ૯૦૦ યોજન સુધી એટલેકે ૧૧૦ યોજન આકાશમાં બધા વિમાનો રહેલા હોય છે. આથી જ્યોતિષી દેવો તિર્આલોકમાં ગણાય છે. કારણકે સમભુતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉંચો તિર્હાલોક ગણાય છે (હોય છે ) માટે. શરીરની ઉંચાઇ- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૭ હાથ. આયુષ્ય- જય. ૦ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ. સ્વકાય સ્થિતિ નથી પર્યાપ્તિ-૬, પ્રાણો ૧૦ હોય છે. આ જીવો અપર્યાપ્તા હોય છે. માટે ૧૦ અપર્યાપ્તા અને પર્યાપ્તા પણ હોય છે. માટે ૧૦ = ૨૦ ભેદો થાય છે. અહીં અપર્યાપ્તા જીવો જે કહ્યા છે તે અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ એટલે પર્યાપ્તિ પૂર્ણ કરવા માટેની અવસ્થા છે પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી. વૈમાનિક દેવોનું વર્ણન ૧૨ દેવલોક, ૩ કિલ્બિષીક, ૯ લોકાંતિક આ ચોવીશ કલ્પોપન્ન દેવો કહેવાય છે. કલ્પોપન્ન એટલે જ્યાં સ્વામિ અને સેવક પણાનો ભાવ હોય છે. વ્યવહાર હોય છે તે અને ૯ ત્રૈવેયક તથા પાંચ અનુત્તર આ ૧૪ ભેદો કલ્પાતીત તરીકે ગણાય છે. જ્યાં સ્વામી સેવક પણાનો ભાવ ન હોય તે. અહમ્ ઇન્દ્રો તરીકે ગણાય તે કલ્પાતીત કહેવાય. સમભૂતલા પૃથ્વીથી એક રાજ ઉપર પહેલો અને બીજો દેવલોક દક્ષિણ અને ઉત્તરમા એક જ સપાટી ઉપર રહેલા છે તેની ઉપર એક રાજે ત્રીજો અને ચોથો દેવલોક એક સપાટીએ છે તેની ઉપર અડધા રાજે પાંચમો દેવલોક છઠ્ઠો દેવલોક હોય છે. તેનાથી અડધા રાજે સાતમો આઠમો દેવલોક હોય છે. નવમો દશમો એક સપાટીએ તે બન્નેનો ઇન્દ્ર એક છે અને અગ્યારમો બારમા એક સપાટીએ છે તે બન્નેનો ઇન્દ્ર એક છે. અહીં સુધી કલ્પોપન્ન દેવો છે. પછી કલ્પાતીત દેવો છે. તેમાં એક રાજ ઉપર નવ ત્રૈવેયક ઉપરા ઉપરી છે. તેની ઉપર એક રાજે પાંચ અનુત્તર સરખી સપાટીએ આવેલ છે. તેમાં જ્યાદિચાર ચારે દિશામાં અને સર્વાર્થ સિધ્ધ વચમાં આવેલ છે. તેની ઉપરે ૧૨ યોજને સિધ્ધશીલા છે તેની ઉપર એક યોજને અલોક છે. પંચસંગ્રહમાં ઇસાન સુધી ૧|| રાજ, માહેન્દ્ર સુધી (ચોથા દેવલોક સુધી) ૨।। રાજ, આઠમા સહસ્ત્રાર સુધી ૫ રાજ, બારમા અચ્યુત સુધી ૬ રાજ, અને લોકાન્તે ૭ રાજ જણાવેલ છે. કિલ્બિષીયા- ત્રણ પ્રકારના છે. તે ૩ પલ્યોપમ ના આયુષ્યવાલા. પહેલા અને બીજા દેવલોકના અધોભાગમાં, ત્રણ સાગરોપમવાલા ત્રીજાના અધોભાગમાં અને તેર સાગરોપમના આયુષ્યવાલા છઠ્ઠાના અધોભાગમાં હોય છે (ઉત્પન્ન થાય છે) Page 174 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy