SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ-૧૫ ૨ થઈ પુનઃ પ્રણાદિ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારે જઘન્ય વિરહકાળ થાય અને આનુપૂર્વીપણાને ત્યાગી બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ આનુપૂર્વીને પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ બે સમયનો વિરહકાળ થાય. તે પગલે ત્રણ, ચાર, પાંચ વગેરે સમયની સ્થિતિવાળા દ્રવ્યરૂપે પરિણત થાય તો તે આનુપૂર્વરૂપ જ ગણાય માટે એક અને બે સમયનો જ વિરહકાળ કહ્યો છે. એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વીત્વને ત્યાગી બે સમયની સ્થિતિ પ્રાપ્ત કરી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે જઘન્ય બે સમયનો વિરહકાળ થાય અને ત્રણ, ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિ પામી, અસંખ્યાતકાળ પછી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ કહેવાય. અનાનુપર્ધી દ્રવ્ય સ્વયં એક સમયની સ્થિતિવાળા હોવાથી તેનો જઘન્ય વિરહકાળ બે સમયનો સમજવો. અવક્તવ્ય દ્રવ્ય બે સમયની સ્થિતિવાળા હોય છે, તે બે સમયની સ્થિતિ પૂર્ણ કરી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વીપણાને પામી પુનઃ બે સમયની સ્થિતિને પ્રાપ્ત થાય ત્યારે વિરહકાળ એક સમયનો થાય છે અને ત્રણ-ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિએ આનુપૂર્વીપણાને પ્રાપ્ત થઈ પુનઃ બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યપણાને પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ થાય છે. • સૂત્ર-૧૩૫/૫ - પ્રથમ • નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂવદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ છે ? ઉત્તર :- ક્ષેમાનુપૂર્વના ભાગદ્વાર પ્રમાણે ત્રણેનું વકતવ્ય જવું. આનુપૂન દ્રવ્ય, અનાનુપૂર્વ અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ અધિક છે. અનાનપર્વ દ્રવ્ય, અનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અવક્તવ્ય દ્રવ્ય, આનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે આથત અસંખ્યાતભાગ ન્યૂન છે. • વિવેચન-૧૩૫/૫ - કાલાનુપૂર્વીના ભાગદ્વારને વર્ણવતા આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વીના ભાગહાસ્તો અતિદેશ કરેલ છે. ફોગાનુપૂર્વીના ભાગદ્વારમાં દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વાનો અતિદેશ કરેલ છે અર્થાત્ દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો જેમ ફોગાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનો ભાગદ્વાર જાણવો. અનાનુપૂર્વમાં એક સમયની સ્થિતિનું એક જ સ્થિતિસ્થાન છે, અવકતવ્ય દ્રવ્યમાં પણ બે સમયની સ્થિતિરૂપ એક જ સ્થિતિસ્થાન છે જ્યારે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાત સ્થિતિસ્થાન છે. આ રીતે આનુપૂર્વી શેષ અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગોથી અધિક છે અને આનુપૂર્વાની અપેક્ષાએ શેષ બંને દ્રવ્ય અસંખ્યાત ભાગનૂન છે. • સૂત્ર-૧૩૫/૬ - ભાવદ્વાર અને અલબહુત દ્વારનું કથન ક્ષેમાનુપૂર્વ પ્રમાણે સમજવું “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યાવતુ અનુગામનું આ સ્વરૂપ છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિની કાલનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન-૧૩૫/૬ - આનુપૂર્વી, અનાનુપૂર્વ અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય સાદિ પારિણામિક ભાવવાળા છે. અવક્તવ્ય દ્રવ્ય સ્વભાવથી જ સર્વથી થોડા છે. તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતપણા અધિક છે. આ અસંખ્યાતગણી અધિકતા ક્ષેત્રાનુપૂર્વીના ભાગ દ્વારા પ્રમાણે જાણવી. • સૂઝ-૧૩૬,૧૩૩ - [૧૬] પ્રશન • સંગ્રહનયસંમત અનૌનિધિકી કાલાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંગ્રહનયસંમત અનઔપનિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે – (૧) અuિદ પ્રરૂપણા (૨) ભંગસમુ-કીર્તનિતા (3) ભંગોપદનિતા (૪) સમવતર (૫) અનુગમ. [૧૩] પ્રવન - સંગ્રહનીય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : આuિદ પ્રરૂપણા વગેરે પાંચ દ્વારોનું કથન સંગ્રહનચસંમત ક્ષેમાનપૂર્વ પ્રમાણે જાણવું. ત્યાં પ્રદેશાવગઢ શબ્દપ્રયોગ છે. તેની જગ્યાએ અહીં સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો યાવત આ રીતે સંગ્રહાયાંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનૌપનિધિકી કાલાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન-૧૩૬,૧૩૭ : આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિકી માનુપૂર્વીના અતિદેશદ્વારા કાલાનુપૂર્વીના પાંચ દ્વારોનું વર્ણન કર્યું છે. ક્ષેત્રાનુપૂર્વીમાં દ્રવ્યાનુપૂર્વીનો અતિદેશ કર્યો છે. તે પ્રમાણે પાંચ પદોનું વર્ણન સમજવું. ગાતુપૂર્વીમાં પ્રદેશાવગાઢના પ્રયોગની જગ્યાએ અહીં ‘સમયસ્થિતિક’ શબ્દનો પ્રયોગ જે રીતે તૈગમ વ્યવહારનય સંમત કાલાનુપૂર્વીમાં કર્યો છે તે રીતે અહીં સંગ્રહ નવમાં પણ કQો. • સૂત્ર-૧૩૮/૧ - પ્રશ્ન :- ઓપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔપનિધિની કાલાનુકૂવીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પૂવનુપૂર્વી (૨). પડ્યાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. પ્રશ્ન :- પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂવનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે - એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતું દસ સમયની સ્થિતિવાળા, સંત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું, તેને ઔપનિધિની પૂવનુપૂર્વી કહેવામાં આવે છે. પન :- પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અસંખ્યાત સમયની સ્થિતિવાળા યાવતુ એક સમયની સ્થિતિના દ્રવ્યોનું વિપરીત ક્રમથી સ્થાપના કરવું કે કથન કરવું તેને ઔપનિધિની પmlનપૂર્વ કહેવાય છે,
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy