SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧૨૦ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વિવેચન-૧૨૦/૧ : આ સૂત્રોમાં ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અનૌપતિધિકીમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય એમ ત્રણ ભેદ છે. જ્યારે અહીં ઔપનિધિતીમાં-પૂર્વનુપૂર્વી, પન્નાનુપૂર્વી અને અનાનુપૂર્વી એવા ત્રણ ભેદ કર્યા છે. અહીં ત્રણ લોકના આધારે ત્રણે આનુપૂર્વીનું સ્વરૂપ સમજાવ્યું છે. - ચૌદરાજુ લાંબા આ લોકના રક્તપ્રભા પૃથ્વીના સમભૂમિ ભાગવાળા ક્ષેત્ર અને મેરુપર્વતની મધ્યના ક્ષેત્રમાં આકાશ દ્રવ્યના આઠ ચકપ્રદેશ છે. તે રુચક પ્રદેશથી નીચે-અધોદિશામાં નવસો યોજન પછીના ક્ષેત્રને અધોલોક, ઉર્વદિશામાં નવસો યોજનથી ઉપરના ક્ષેત્રને ઉદdલોક અને વચ્ચેના ૧૮૦૦ યોજનવાળા ક્ષેત્રને મધ્યલોક કહે છે. તેનો તિરછો વિસ્તાર વધુ હોવાથી તેને તિય લોક પણ કહે છે. ‘અધઃ' શબ્દનો અર્થ છે અશુભ. ક્ષેત્ર પ્રભાવથી જ જે ક્ષેત્રમાં અશુભ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્ય વધુ છે, તે અધોલોક. જે ક્ષેત્રમાં શુભ પરિણમનવાળા પુદ્ગલદ્રવ્યો વધુ છે, તે ક્ષેત્ર ઉર્વલોક. અને જે ક્ષેત્રમાં પ્રાયઃ મધ્યમ પરિણમનવાળા પુદ્ગલ દ્રવ્યો વિશેષ છે, તે ક્ષેત્ર મધ્યલોક. ક્રમવિન્યાસઃ- શાસ્ત્રકારે (૧) અધોલોક, (૨) મધ્યલોક અને (3) ઉર્વલોક, આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. તે ક્રમ વિન્યાસનું કારણ જણાવતા વ્યાખ્યાકાર કહે છે. કે ચૌદ ગણસ્થાનકમાં જેમ જઘન્ય પરિણામવાળા મિયાવનું પ્રથમ કથન કરાય છે. તેમ અહીં ધોલોકમાં જઘન્ય પરિણામવાળા દ્રવ્યનો સંબંધ વિશેષ હોવાથી ક્રમમાં તેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાત્ મધ્યમ પરિણામવાળા દ્રવ્યસંયોગથી મધ્યલોકનું અને ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યસંયોગના કારણે ઉર્વલોકને અંતમાં સ્થાન પ્રાપ્ત થયું છે. • સૂઝ-૧૨૦/ર : અધોલોક ક્ષેત્રાનપૂર્વ ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે – (૧) પૂવનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂન. પ્રશ્ન :- ધોલોક ક્ષેત્રપૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧). રતનપભા, (૨) શર્કરાપભા, (૩) વાલુકાપભા, (૪) કાપભા, (૫) ધૂમપભા, (૬) તમ:પ્રભા અને (5) તમામપભા. આ ક્રમથી સાત નરકભૂમિના કથનને આધોલોક ક્ષેત્ર પૂવનિપૂવ કહે છે. ધન :- ધોલોક ક્ષેત્રપશ્ચાતુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : તમામપ્રભા નામની સાતમી નફથી શરૂ કરી વિપરીત ક્રમથી પ્રથમ રતનપભા નાક પર્વતના કથનને આધોલોક ક્ષેત્ર પશ્ચાતુપૂર્વ કહે છે. અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? આદિમાં એકને સ્થાપિત કરી એક-એકની વૃદ્ધિ કરતાં સાત પયતની સંખ્યાને એક શ્રેણીમાં રાખીને તે શ્રેણીના અંકોને પરસ્પર ક્રમશઃ ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને છોડીને શેષ ભંગ અનાનુપૂર્વ કહેવાય છે. • વિવેચન-૧૨૦/ર - આ સૂત્રમાં અધોલોક માનુપૂર્વીનું વર્ણન છે. અધોલોકમાં સાત નક પૃથ્વીઓ આવેલી છે. તેના ક્રમથી સાત નામ આ પ્રમાણે છે. (૧) રનપભા:- પ્રથમ નક પૃવીમાં રનો જેવી પ્રભા-કાન્તિનો સદ્ભાવ છે. (૨) શર્કરાપભા :- બીજી તરફ પૃથ્વીમાં શર્કરા-પત્થરખંડ જેવી પ્રભા છે. (૩) વાલુકાપ્રભા :- ત્રીજી નક પૃથ્વીમાં વાલુકા-રેતી જેવી પ્રભા છે. (૪) પંકપ્રભા :- ચોથી નરક પૃથ્વીમાં પંક-કાદવ-કીચડ જેવી પ્રભા છે. (૫) ધૂમપભા :- પાંચમી નરક પૃથ્વીમાં ધૂમ-ધૂમાડા જેવી પ્રભા છે. (૬) તમપ્રભા :- છઠ્ઠી નક પૃથ્વીમાં તમઃધકાર જેવી પ્રભા છે. (9) તમસ્તમપ્રભા :- સાતમી તક પૃવીમાં ગાઢ અંધકાર જેવી પ્રભા છે. • સૂગ-૧૨|૩ થી ૧૨૫/૧ - [૧૨૦3] તિર્યકલોક ક્ષેમાનુપૂર્વના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્ણાનુપૂર્વી () પશ્ચાતુપૂર્વી (3) અનાનુપૂર્વ [૧ર૧ થી ૧૨૪] પ્રશ્ન :- મધ્યલોક» પૂતુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદસમુદ્ર, સીરદ્વીપ, શીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ધૃતોદસમુદ્ર, ઈસુવરદ્વીપ, ઈસુવર સમુદ્ર, નન્દીદ્વીપ, નંદીસમુદ્ર, અણવરદ્વીપ, અરુણરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, ચકદ્વીપ અને ચક સમુદ્ર. - જંબુદ્વીપથી લઈને આ શ્વક સમુદ્ર પતિના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ અસંખ્યદ્વીપ સમુદ્રોનું ક્રમિક કથન છે અથતિ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગલર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્ અસંખ્યાત દ્વીપ સમદ્ર પછી કુશવર, કૌંચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે આથતિ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પઝા, નિધિ, રન, વરધર, હદ, નદી, વિજય, વાસ્કાર, કલોન્દ્ર, કુરુ, મંદર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યજ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂમણ સમુદ્ર છે. જંબૂદ્વીપથી લઈ સ્વયંભૂરમણ પતિના બધા દ્વીપસમુદ્ર એક-બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા છે. • સૂત્ર-૧૨૫/૧ : [૧ર/૧] માલોક પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સ્વયંભૂસ્મણ સમુદ્ર, સ્વયંભૂમણ દ્વીપ, ભૂત સમુદ્ર, ભૂતદ્વીપથી લઈ જંબૂદ્વીપ સુધી વિપરીત કમથી દ્વીપ-સમુદ્રની સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશાનપૂર્વ કહે છે. મધ્યલોકોમ અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? એકથી શરૂ કરી, એકએકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્વતની રાશિને એક શ્રેણીમાં સ્થાપી, તેને 41/6]
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy