SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૮૨ પપ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બતાવવું ઉચિત છે. દ્રવ્યાર્થિક નયના બે પ્રકાર છે, વિશુદ્ધ અને અવિશુદ્ધ. નૈગમનય અને વ્યવહારનય અનંત પરમાણુ, અનંત દ્વયણુક, આમ અનેક દ્રવ્યને તથા કૃણા વગેરે ગુણોના આધારભૂત ત્રિકાલવર્તી દ્રવ્યને વિષય કરે છે. આ રીતે અનેક ભેદોને સ્વીકારવાથી અવિશુદ્ધ છે. સંગ્રહનય અનેકરૂપ દ્રવ્યને નહીં પણ એકરૂપ દ્રવ્યને સ્વીકારે છે. ભિન્ન-ભિન્ન પરમાણુમાં પરમાણુત્વ સામાન્ય એક છે માટે સંગ્રહનય તેને એકરૂપે જ સ્વીકારે છે, તેથી તેમાં ભેદ નથી તેથી તે વિશુદ્ધ છે. દ્રવ્યાનુપૂર્વીના શુદ્ધઅશુદ્ધ બંને સ્વરૂપ બતાવવા, અનૌપનિધિકી આનુપૂર્વીના બે ભેદ કરવામાં આવ્યા છે. • સૂત્ર-૮૩ - પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગન-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે - (૧) પદ પ્રરૂપણા, (૨) ભંગ સમુcકીનિતા, (૩) ભંગોપદનિતા, (૪) સમવતાર, (૫) અનુગમ. • વિવેચન-૮૩ : (૧) અર્થપદપ્રરૂપણા - સંજ્ઞા અને સંજ્ઞી, વાયક અને વચ્ચેના સંબંધ માત્રનું કથન કર્યું તે અર્થપદ પ્રરૂપણા છે. ચણુક વગેરે પદાર્થ જે પદ દ્વારા પ્રરૂપિત કરાય છે, તે અર્થપદ કહેવાય. તેની પ્રરૂપણા તે અર્થપદ પ્રરૂપણા છે. | (૨) ભંગ સમુત્કીર્તનતા :- પૃથક-પૃથક્ ભંગો તથા સંયોગજનિત ભંગોનું સંક્ષેપમાં-નામ માત્ર દ્વારા કથન કરવું તે ભંગ સમુકીર્તનતા કહેવાય છે. (3) ભંગોપદર્શનતા :- ભંગના નામનો અર્થ કરી, અર્યરૂપે ઉપદર્શન કરાવવું, તે ભંગોપદર્શનતા કહેવાય છે. મંગસમુત્કીર્તનતામાં ભંગ વિષયક સૂત્રનું માત્ર ઉચ્ચારણ કરાય છે જ્યારે ભંગોપદર્શનતામાં તે જ ભંગ અર્થ સાથે કહેવાય છે. (૪) સમવતાર - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો સ્વસ્થાન-પરસ્થાનમાં અંતભવ થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. (૫) અનુગમ :- સાદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારોથી આનુપૂર્વી આદિ દ્રવ્યોનો વિચાર કરવો તે અનુગમ છે. • સૂઝ-૮૪ - પીન :- નૈગમ-વ્યવહાર નય સંમત આપદ પરપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા (આનુપૂવીનું સ્વરૂ૫). આ પ્રમાણે છે - auદેશી ઢંધ આનુપૂવ છે, ચતુuદેશી કંધ આનુપૂર્વી છે યાવ4 દસ પ્રદેશી કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપદેશી કંધ આનુષdી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વ છે. દ્વિપદેelી અંધ અવકતવ્ય છે. (બહુવચનથી) શપદેશી કંધો આપવઓ છે યાવતુ અનંતપદેશી કંધો આનુપૂર્વીઓ છે. અનેક પરમાણુ યુગલ અનેક અનાનુપૂર્વીઓ છે અને અનેક દ્વિદેશી અંધ અનેક અવકતવ્ય છે. આ મૈગમવ્યવહાર નયસંમત આનુપૂવીનું સ્વરૂપ છે. • વિવેચન ૮૪ - આ સૂત્રમાં તૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી આનુપૂર્વીની ‘અર્થપદ પ્રરૂપણા'નું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ-જેની પૂર્વે કાંઈ નથી પણ પાછળ અન્ય હોય તે આદિ, મધ્યમ જેની પૂર્વે અને પછી બંને તરફ અન્ય હોય તે મધ્યમ કહેવાય અને જેની પૂર્વે છે પણ પાછળ નથી તે અંત કહેવાય. ત્રિપદેશી ઢંધથી લઈ અનંતપદેશી કંધમાં આદિ, મધ્ય અને અંત, આ ત્રણે હોય છે. તેથી તે પ્રત્યેક સ્કંધ આનુપૂર્વીરૂપ છે. આનુપૂર્વી એટલે ક્રમ. પ્રત્યેક પરમાણુ યુગલ પૃથક-પૃથક્ વર્તમ સતાવાળા છે. તે પરમાણું એક જ હોવાથી તેમાં આદિ, મધ્યમ અને અંત ઘટિત થતાં નથી તેથી તે અનાનુપૂર્વી કહેવાય છે. અહીં ‘અન’ શબ્દ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત થયો છે. જેમાં આદિમધ્ય-રાતના અભાવમાં, ક્રમ ઘટિત ન થાય તે નાનુપૂર્વી. એક રિપ્રદેશી ઢંધ એક આનુપૂર્વારૂપ છે. uિદેશી ઢંધ એક જ નથી પરંતુ ત્રિપદેશી ઢંધ અનંત છે અને તે પ્રત્યેક બિપદેશી ઢંધ અલગ-અલગ વ્યકિતરૂપ છે, તે સૂચવવા એકવચન અને બહુવચનથી તે વાત દર્શિત કરી છે. પરમાણુ યુગલ અને દ્વિપદેશી ઢંધ પણ અનેક વ્યક્તિરૂપે અનંત છે, તેથી તે ત્રણેમાં એકવચનબહુવચનથી સૂત્રકારે કથન કર્યું છે. શિપદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશી ઢંધને અનૌપનિધિની અર્થપદ પ્રરૂપણામાં ગણના કરી છે. અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે bપદેશી, ચતુuદેશી, પંચપદેશી આમ ક્રમપૂર્વક સમસ્ત સ્કંધ સૂત્રમાં બતાવ્યા છે, તો તેનો સમાવેશ ઔપનિધિડીમાં કરવો જોઈએ. પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમ ઔપનિધિકીમાં ઘટે છે. અનૌપનિધિડીમાં પૂર્વનુપૂર્વી વગેરે ક્રમ નથી. તો તેનું સમાધાન આચાર્યો કરે છે કે બિuદેશી કંધ પછી ચતુઃસ્વદેશી સ્કંધ આવો પૂર્વાનુપૂર્વી ક્રમ સ્કંધમાં કોઈ બનાવતું નથી. તે તો સ્વભાવથી જ છે અને લોકમાં ત્રિપદેશી વગેરે સ્કંધ અનુકમથી ગોઠવાયેલા નથી. લોકમાં રહેલ પુદ્ગલ દ્રવ્યો અનૌપનિધિ રૂપ જ છે. તીર્થંકર વગેરે દ્વારા પૂર્વનુિપૂર્વી ક્રમથી વસ્તુનું સ્થાપના કરાતું હોય ત્યાં ઔપનિધિકી પૂર્વનુપૂર્વી બને છે. દ્વિપદેશી, ત્રિપદેશી ઢંધ આમ તીર્થકરો શિષ્યોને સમજાવવા ક્રમથી કથન કે સ્થાપન કરે ત્યારે તે ઔપનિધિની આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્વભાવથી સ્થિત પરમાણુ અને સ્કંધો અનૌપનિધિની આનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૮૫ - ધન :- આ નૈગમ વ્યવહારનય સંમત અuિદપ્રરૂપણા રૂપ આનુપૂર્વનું શું પ્રયોજન છે ? ઉત્તર :- નૈગમ વ્યવહારનય સંમત થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુકીતના-ભંગોનું કથન કરવામાં આવે છે. • વિવેચન-૮૫ - અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન એ છે કે તેનાથી ભંગસમુત્કીનિરૂપ કાર્ય થાય છે. અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય સંજ્ઞાઓ નિશ્ચિત થયા
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy