SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૩૩૨ થી ૩૩૯ ૨૬૩ સામાયિકના અસંખ્યાત હજાર આકર્ષ હોય છે. સર્વ વિરતિના અનેક હજાર આકર્ષ હોય છે. સામાન્ય રૂપે શ્રુત સામાયિકના અનેક ભવોમાં ઉત્કૃષ્ટ અનંત આકર્ષ હોય છે. (૨૫) સ્પર્શ - સામાયિકવાન સામાયિકવાન જીવ કેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે છે ? સમ્યકત્વ અને સર્વવિરતિ સામાયિકવાન જીવ જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો અને ઉત્કૃષ્ટ સમસ્ત લોકનો સ્પર્શ કરે છે, તે કેવળી સમુઠ્ઠાતની અપેક્ષાઓ શ્રત અને દેશવિરતિ સામાયિકવાળા જઘન્ય લોકના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ ૧૪ રાજુ પ્રમાણ લોકના 9 રાજુ, પાંચ રાજુ, ચાર, ગણ, બે રાજુ પ્રમાણ લોકનો સ્પર્શ કરે છે. કોઈ જીવ ઈલિકા ગતિથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તો ૭ રાજુને, વિરાધિત થાય પણ સમ્યકત્વથી પતિત થયા નથી તેવા જીવ જેણે નરકાયુ પૂર્વે બાંધી લીધુ હોય અને ઈલિકા ગતિથી છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય તો પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. કોઈ દેશવિરતિ ઘારણ કરનાર અય્યત દેવલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય તો ચાર રાજુ પ્રમાણ લોકને સ્પર્શે છે. (૨૬) નિરુક્તિ :- સામાયિકની નિયુક્તિ શું છે ? નિશ્ચિત ઉક્તિ-કથનને નિરુક્તિ કહે છે. તેથી સમ્યગ્દષ્ટિ અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યવ, સદષ્ટિ વગેરે સામાયિકના નામ છે. સામાયિકનું પૂર્ણ વર્ણન જ સામાયિકની નિયુક્તિ છે. આ ઉપોદ્દાત નિયુન્યનુગમની વ્યાખ્યા છે. હવે સૂત્રના પ્રત્યેક અવયવની વિશેષ વ્યાખ્યા કરવા રૂપ સૂરસ્પર્શિક નિકુંજ્યનુગમનું કથન કરે છે. • સૂત્ર-૩૪૦ થી ૩૪ર : પ્રશ્ન :- સૂત્રસ્પર્શિક નિયુકચનગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે સૂમની વ્યાખ્યા કરાતી હોય તે સૂત્રને સ્પર્શ કરનાર નિયુકિતના નગમને સૂત્ર-સ્પર્શિક નિયંત્યનુગમ કહેવામાં આવે છે. આ અનુગમમાં અલિત, અમીલિત, અવ્યત્યામેડિત, પતિપૂર્ણ, પતિપૂર્ણ ઘોષ, કંઠોઠ વિપમુકત તથા ગુરુ વારાનોપગત રૂપથી સૂમનું ઉચ્ચારણ કરવું જોઈએ. રીતે સૂગનું ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય છે કે આ સ્વસમયપદ છે, આ પરસમયપદ છે, આ બંધ પદ છે, આ મોક્ષપદ છે અથવા આ સામાયિક પદ છે, આ નોસામાયિકપદ છે. સૂત્રનું નિર્દેશ વિધિથી ઉચ્ચારણ કરાય તો કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અધિકાર અધિગત થઈ જાય છે અને કેટલાક સાધુને કેટલાક (અથિિધકાર) અનધિગત-અજ્ઞાત રહી જાય છે. તે અજ્ઞાત અથિિધકારનું જ્ઞાન કરાવવા માટે એક-એક પદની વ્યાખ્યા કરવી જોઈએ. તે વ્યાખ્યા કરવાની વિધિ આ પ્રમાણે છે - (૧) સંહિતા, (૨) પદચછેદ, (૩) પદોના અર્થ, (૪) પદ વિગ્રહ, (૫). ચાલના, (૬) પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા વિધિના છ પ્રકાર છે. • વિવેચન-૩૪૦ થી ૩૪ર :સૂબાલાપક નિપજ્ઞ નિફોપ સમયે જેનો ઉલ્લેખ કર્યો છે, તે સૂરસ્પર્શિક ૨૬૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન નિયંત્યનુગમનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. સુત્રના લક્ષણ આ પ્રમાણે છે. સૂઝ અપ અક્ષર અને મહાન અર્થવાળા, મીસ દોષથી રહિત, આઠ ગુણ સહિત અને લક્ષણયુક્ત હોય છે. (૧) સૂણાનુગમ-પદચ્છેદ વગેરે કરે છે. (૨) સૂત્રલાપક નિક્ષેપ-સૂમને નામ-સ્થાપનાદિ નિpોપોમાં વિભક્ત કરે છે. (૩) સૂગસ્પર્શક નિયુકચનુગમ-સૂત્ર ઉચ્ચારણ, સૂગની દોષ રહિતતા, ના લક્ષણ તથા સૂત્રમાં નયદષ્ટિનું દર્શન કરાવે છે. આ રીતે સૂણ જ્યારે વ્યાખ્યાનો વિષય બને છે ત્યારે સૂત્ર, સૂબાનુગમ, સૂગાલાપક નિક્ષેપ અને સૂરસ્પર્શિક નિર્યુચનુગમ, આ બધા સાથે લેવાય. સૂગગત સ્વસમય વગેરે પદોના અર્થ - સ્વસમયપદ :- સ્વસિદ્ધાd સંમત જીવાદિપદાર્થના પ્રતિપાદક પદ. પરસમય પદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ, બંધપદ - પરસિદ્ધારાના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. મોક્ષપદ : પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષાનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ : સામાયિકથી વ્યતિરિક્ત નક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે. • સૂગ-૩૪૩ થી ૩૪૭ ? (૧) જે અનેક માનો-પ્રકારોથી વસ્તુના સ્વરૂપને જાણે છે, અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે, તે નૈગમ નય છે. આ નૈગમનયની નિયુક્તિવ્યુત્પત્તિ છે. શેષ નયોના લક્ષણ કહીશ તે તમે સાંભળો. (૨) સમ્યફ પ્રકારથી ગૃહીત-એક ગતિને પ્રાપ્ત અર્થ જેનો વિષય છે તે સંગ્રહનીનું વચન છે. આ રીતે તીર્થકર-ગણધરોએ સંક્ષેપમાં કહ્યું છે. (૩) વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવા પ્રવૃત્ત થાય છે. (૪) ઋજુસૂઝનય પશુપwગ્રાહી-વમાન પયયને ગ્રહણ કરે છે. (૫) શબ્દનય વર્તમાન પદાર્થને વિશેષરૂપે સ્વીકારે છે. (૬) સમભિરૂઢનય વસ્તુના અન્યત્ર સંક્રમણને આવઅવાસ્તવિક માને છે. () વંભૂતનય વ્યંજન-શબ્દ, અર્થ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. • વિવેચન-૩૪૩ થી ૩૪૭ - સૂત્રોકત ચાર ગાથામાં તૈગમાદિ સાત નયોના લક્ષણ સંક્ષેપમાં બતાવ્યા છે. (૧) નૈગમનય :- જે સામાન્ય અને વિશેષ બંને પ્રકારે વસ્તુનો સ્વીકાર કરે તે તૈગમનય. નિગમ એટલે વસતિ. ‘લોકમાં રહું છું” વગેરે પૂર્વોક્ત નિગમોરી સંબદ્ધ નય તેનૈગમનય. નિગમ એટલે અર્ચનું જ્ઞાન-અનેક પ્રકારે અર્થજ્ઞાનને માન્ય કરે તે તૈગમનય. સંકલ માત્રને ગ્રહણ કરે તે મૈગમનય. ભૂત-ભવિષ્ય અને વર્તમાન
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy