SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૬ થી ૧૧૦ ૧૫૩ પણ ક્રોધ કરતો હતો. એક વાર તે પોતાના ગુરુની સાથે કોઈ પહાડી માર્ગ પર જઈ રહ્યો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને કોઈ એક કારણે ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો કે તરત જ તેણે પોતાના ગુરુને મારી નાંખવા માટે એક વજનદાર મોટો પત્થર ગુરુ પર ગબડાવી દીધો. પોતાની તરફ આવતા પથ્થરને જોઈને આશ્ચર્યશ્રી એક બાજુ ઊભા રહી ગયા તેથી તે બચી ગયા. પરંતુ પાસે ઊભેલા એક શિષ્યથી આ સહન ન થયું. તેણે ક્રોધિત થઈને કૂળવાલક સાધુને કહ્યું “દુષ્ટ ! કોઈને મારી નાંખવા માટે તું અચકાતો નથી પણ ગુરુદેવને મારી નાંખવા જેવું નીચ કર્મ પણ તું કરી શકે છે ? જા તારું પતન પણ કોઈ સ્ત્રી વડે જ થશે.” કૂળવાલક સદા ગુરુની આજ્ઞાથી વિપરીત જ કાર્ય કરતો હતો. પોતાના ગુરુભાઈના વાતને અસત્ય કરવા માટે તે કોઈ એક નિર્જન પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ સ્ત્રી તો શું ? કોઈ પુરુષો પણ રહેતા ન હતા. એવા સ્થળે નદીના કિનારા પર તે ધ્યાનસ્થ બનીને તપસ્યા કરવા લાગ્યો. આહાર માટે પણ તે ક્યારે ય ગામમાં જતો નહીં. સંયોગવશાતુ ક્યારેક કોઈ યાત્રિક ત્યાંથી નીકળે તો કંઈક આહાર પ્રાપ્ત કરીને તે શરીરને ટકાવતો હતો. એક વાર નદીમાં ઘોડાપુર આવ્યું. એમાં એ તણાઈ જાત પરંતુ તેની ઘોર તપસ્યાના કારણે નદીનું વહેણ બીજી બાજુ ચાલ્યું ગયું. એવી આશ્ચર્યજનક ઘટના જોઈને લોકોએ તેનું નામ “કૂળવાલક મુનિ” રાખી દીધું. બીજી બાજુ કુણિકરાજાએ માગધિકા વેશ્યાને કૂળવાલક મુનિને શોધી લાવવા માટે મોકલી. માગધિકાએ ઘણા ગામો જોયા પણ કૂળવાલક મુનિ તેને ક્યાંય મળતા ન હતા. છેવટે તેણી પેલા નિર્જન પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં નદી કિનારે ધ્યાનાવસ્થામાં તેણીએ કૂળવાલકમુતિને જોયા. પછી માગધિકા સ્વયં ઢોંગી શ્રાવિકા બનીને નદીકિનારાની સમીપે જ રહેવા લાગી અને મતિની અત્યંત સેવા ભક્તિ વગેરે કરવા લાગી. ધીરે ધીરે તેણીએ કૂળવાલક મુનિને આકર્ષિત કરી લીધા તેમજ આહાર માટે મુનિને પોતાની ઝુંપડીએ વારંવાર લઈ જતી. એકવાર તે સ્ત્રીએ ખાવાની દરેક ચીજોમાં વિરેચક ઔષધિ મિશ્રિત કરીને મુનિને તે આહાર વહોરાવી દીધો. એવો આહાર ખાવાથી કૂળવાલક મુનિને અતિસાર નામનો રોગ લાગુ પડી ગયો. બીમારીના કારણે વેશ્યા મુનિની સેવા-શુશ્રુષા કરવા લાગી. કપટી વેશ્યાના સ્પર્શથી મુનિનું મના વિચલિત થઈ ગયું અને તે ચાત્રિથી ભ્રષ્ટ થઈ ગયા. સાધુની શિથિલતા વેશ્યાને અનુકૂળ થઈ ગઈ. ધીરે ધીરે માગધિકાએ મુનિને પોતાના બનાવીને એક દિવસ તેને કુણિક રાજાની પાસે લઈ ગઈ. કુણિકાન કુળવાલક મુનિને જોઈને અત્યંત ખુશ થયો. વાતચીત કરતાં કરતાં તેણે મુનિને પૂછયું - વિશાલા નગરીના આ ખૂબ જ મોટા અને મજબૂત કોટને કેવી રીતે તોડી શકાય ? કૂળવાલક મુનિ પોતાના સાધુત્વથી ભ્રષ્ટ તો થઈ જ ગયા હતા. તેણે નૈમિત્તિકનો વેષ ધારણ કર્યો. પછી તેણે રાજાને કહ્યું- મહારાજ અત્યારે હું આ નગરીમાં જાઉં છું પણ જ્યારે હું સફેદ વસ્ટા હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવીને આપને સંકેત કરું તે વખતે આપ યુદ્ધમેદાનમાંથી સેનાને લઈને થોડાક પાછા ૧૫૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ખસી જો. જેમાં આપનું શ્રેય છે. કૂળવાલકે નૈમિત્તિકનું રૂપ ધારણ કરવાથી તેને નગરમાં પ્રવેશ કરવાની કોઈએ ના ન પાડી. નગરવાસીઓએ નૈમિત્તિકને પૂછયું “મહારાજ ! રાજા કુણિકે અમારી નગરીને ચારે ય બાજુથી ઘેરી લીધી છે. આ સંકટથી અમને ક્યારે છુટકારો મળી શકશે ? કૂળવાલક નૈમિત્તિકે પોતાના જ્ઞાનાભ્યાસ દ્વારા જાણી લીધું કે આ નગરીમાં જે સ્તુપ બનાવેલો છે, તેનો પ્રભાવ જયાં સુધી રહેશે ત્યાં સુધી કણિક વિજય પ્રાપ્ત નહીં કરી શકે. તેથી તેણે કપટ કરીને એ જ નગરવાસીઓ વડે જ તેને પડાવી નાંખવાનો ઉપાય વિચારી લીધો. પછી તેણે કહ્યું – “ભાઈઓ ! તમારી નગરીમાં અમુક સ્થાન પર જે સ્તૂપ ઊભો છે, એ સ્તુપ જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી તમે આ સંકટથી મુકત થશો નહીં. માટે એ તૂપને તમે તોડાવી નાંખો. જેવો એ સ્તૂપ તૂટશે કે તરત જ કુણિક પાછો હટી જશે.” | ભોળા નાગરિકોએ નૈમિત્તિકની વાત પર વિશ્વાસ કરીને સ્તૂપને તોડવાનો પ્રારંભ કરી દીધો. એ જ સમયે કપટી નૈમિત્તિકે સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવવાનું શરૂ કર્યું. પોતાની યોજનાનુસારે કુણિકને સેના સહિત પાછળ હટવાનો સંકેત કર્યો. જે સમયે તેને સંકેત મળ્યો તે જ સમયે કુણિક સેનાને લઈને પાછળ હટી ગયો. નાગરિકોએ જોયું કે થોડોક સ્તૂપ તોડ્યો ત્યાં જ કુણિકની સેના પાછળ હટવા લાગી. એ દૃશ્ય જોઈને નાગરિકોએ બહુ ઉત્સાહપૂર્વક સ્તૂપને જડ મૂળથી ઉખેડી નાંખવાનો પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં સ્તૂપ ધરાશાયી બની ગયો. પણ બન્યું એવું કે જેવો એ તૂપ તૂટ્યો કે તરત જ તે મજબૂત કોટનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને કુણિકે આગળ વધીને કોટને તોડીને વિશાલા નગરી પર પોતાનો અધિકાર જમાવી દીધો. કુળવાલક સાધુને પોતાના વશમાં કરી લેવાની પારિણામિડી બુદ્ધિ વેશ્યાની હતી અને સ્તૂપને તોડાવીને કુણિકને વિજય પ્રાપ્ત કરાવનારી પરિણામિડી બુદ્ધિ કૂળવાલક મુનિની હતી. આ કથા સાથે પારિણામિકી બુદ્ધિની કથાઓ સમાપ્ત તેમજ અશ્રુતનિશ્ચિત એટલે શ્રુતની અપેક્ષા નહિ રાખનાર મતિજ્ઞાનનું વર્ણન પણ સમાપ્ત થયું. આ ચારે ય બુદ્ધિના કાર્યોમાં શ્રુતની અપેક્ષા હોતી નથી. મતિજ્ઞાનના ફાયોપશમની પ્રમુખતાથી જ અમૃતનિશ્રિત મતિજ્ઞાનનું એટલે બુદ્ધિનું પ્રવર્તન થાય છે. • સૂમ-૧૧૧ - પ્રશ્ન : હે ભગવાન કૃતનિશ્ચિત મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે - (૧) આવાહ (૨). ઈu (3) અવાય (૪) ધારણા. • વિવેચન-૧૧૧ - પ્રસ્તુત સૂત્રમાં કૃતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરેલ છે. ક્યારેક મતિજ્ઞાન સ્વતંત્ર કાર્ય કરે છે અને ક્યારેક શ્રુતજ્ઞાનના સહયોગથી કરે છે. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્વ કાલીન સંસ્કારોના નિમિત્તથી ઉત્પન્ન થાય ત્યારે તેના ક્રમશઃ ચાર
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy