SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૭ થી ૧૦૦ ૨ તે લંપટ પુરુષ ! હમણાં જ હું તેની જીવનલીલાને ખતમ કરીશ. રોહકે પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહ્યું – પિતાજી ! આ જ પહેલો પુરુષ છે, તે મારી આંગળીનું ક્લનચલન થવાથી ભાગી જાય છે. બાળકની બાલચેટાથી ભરત નટ લજ્જિત થઈને વિચારવા લાગ્યો કે મેં બાળકની વાત સાંભળીને મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, મેં તેને દુરાચારિણી સમજીને છોડી દીધી, એ મેં ભયંકર ભૂલ કરી છે. પછી તે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. બુદ્ધિમાને રોહકે વિચાર કર્યો કે મારા દ્વારા પિતાએ વિમાતા સાથે દુર્વ્યવહાર કર્યો તેથી તે અપ્રસન્ન રહી, હવે પ્રસન્ન છે છતાં વિમાતા તો વિમાતા જ હોય, ક્યારેક તે મને વિષ ખવડાવીને મારી નાંખશે. માટે આજથી ક્યારે ય એકલા ભોજન કરવું નહીં. દરરોજ તે પિતાની સાથે જ ભોજન કરતો. દરેક કાર્ય તે પિતાની સાથે કરવા લાગ્યો. પિતાથી અલગ તે ક્યારે ય થતો નહીં. એક દિવસ કોઈ કામ માટે ભરત નટને ઉજ્જયિની જવાનું થયું. રોહક પણ પિતાની સાથે ઉજ્જયિની ગયો. તે નગરી વૈભવથી સમૃદ્ધ અને સૌંદર્યપૂર્ણ હતી. તેને જોઈને સેહક તેમાં મુગ્ધ બની ગયો. નગરીની ચારે તરફ ફરીને પોતાના મનમાં તેણે નગરીના નકશો ઉતારી લીધો. થોડા સમય બાદ પિતાની સાથે તે પોતાના ગામ તરફ રવાના થયો. ઉજ્જયિની નગરીની બહાર નીકળતી વખતે ભરતને એક ભૂલાઈ ગયેલી ચીજ યાદ આવી તેથી રોહકને ક્ષિપ્રા નદીના કિનારે બેસાડીને તે એકલો ફરી ઉજ્જયિની ગયો. અહીં ોહક નદીના કિનારા પર બેસીને રેતીથી રમતો હતો. એકાએક તેને રેતીમાં ઉજ્જયિની નગરીનો નકશો બનાવવાનું મન થયું. અલ્પ સમયમાં તેણે સફેદ રેતી પર ઉજ્જયિની નગરીનો આબેહબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીની ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દરેક દેશ્ય બહુ સુંદર ચિતર્યું. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતાં તે સેહકે બનાવેલા નગરીના નકશા પાસે આવ્યા અને તેના પર ચાલવા લાગ્યા તે જ ક્ષણે રોહકે તેને રોકી દીધા અને કહ્યું – મહાશય! આપ આ માર્ગથી ન જાઓ. આ શબ્દ સાંભળતા જ આશ્ચર્યચકિત થઈને રાજાએ કહ્યું – શું વાત છે બેટા! રોહકે કહ્યું - આ રાજભવન છે, એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ કરી ન શકે. સજાએ શબ્દ સાંભળતા જ કુતુહલપૂર્વક રાહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા - આ નાનો બાળક કેટલો બુદ્ધિમાન છે. જેણે એક જ વાર નગરીમાં ફરીને કેટલો સુંદર અને આબેહુબ સાચો નકશો બનાવી લીધો. તે જ ક્ષણે રાજાના મનમાં એક વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ચાર સો નવ્વાણુ (૪૯૯) મંત્રી છે એની ઉપર આ બાળક જેવો અતિ કુશાગ્ર બુદ્ધિમાન કોઈ મહામંત્રી હોય તો મારું રાજ્ય કેટલું સુંદર ઢંગથી ચાલે ! અન્ય બળ ન્યૂન હોય તો પણ તેની બુદ્ધિ દ્વારા હું નિકંટક રાજ્ય ચલાવી શકીશ અને બુ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન રાજ પર વિજય મેળવી શકીશ. પરંતુ એ પહેલા બાળકની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને રાજાએ તે બાળકનું નામ અને ગામ પૂછયું. બાળકે કહ્યું - મારું નામ રોહક છે હું આ નગરીની નજીક નટોના ગામમાં રહું છું. રાજાએ પૂછયું - તારા પિતાનું નામ શું છે ? રોહકે કહ્યું - ભરત નટ. એટલી વાત થઈ ત્યાં રોહકના પિતા આવી ગયા. તેથી રોહક તેની સાથે પોતાના ગામ તરફ રવાના થયો. રાજા પણ પોતાની નગરી તરફ રવાના થયા. રાજા પોતાના રાજ્યમાં ગયા પણ રોહક તેની નજરમાં વસી ગયો. થોડા સમયબાદ રાજાએ રોહકની પરીક્ષા લેવા માટે શરૂઆત કરી. (૨) શિલા :- રાજાએ સર્વ પ્રથમ રોહકના ગ્રામવાસીઓને બોલાવીને કહ્યું - તમે બધા લોકો મળીને એક એવો સુંદર મંડપ બનાવો, જે રાજાને યોગ્ય હોય. તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ત્યાંથી ખસેડ્યા વિના અને આઘીપાછી. કર્યા વિના એ જ શિલા મંડપની છત બની જવી જોઈએ. રાજાની આજ્ઞા સાંભળીને ગ્રામવાસી ના લોકો બહુ ચિંતામાં પડી ગયા. તેઓ બધા પંચાયત ઘરમા એકત્રિત થયા રોહકના પિતા ભરત પણ તેની સાથે હતી. સર્વે મળીને પરસ્પર વિચારવિમર્શ કરવા લાગ્યા. હવે આપણે શું કરવું ? રાજાની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. જો આપણે સજાના આદેશનું પાલન નહીં કરીએ તો રાજા અવશ્ય દંડ કરશે. આ રીતે વિચારણા કરતાં કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો. બીજી બાજુ રોહક તેના પિતા વગર ભોજન કરતો ન હતો તેમજ પાણી પણ પીતો ન હતો. મોડું થવાથી તેને બહુ જ ભૂખ લાગી તેથી રોહક ભૂખથી વ્યાકૂળ બનીને પંચાયત સભામાં પિતાની પાસે આવીને બોલ્યો - પિતાજી મને બહુ જ ભૂખ લાગી છે માટે જદી ઘરે ચાલો. પિતાએ કહ્યું – બેટાધીરજ રાખ, ગ્રામવાસીઓ પર બહુ કષ્ટ આવી પડ્યું છે. એ વાત તું જાણતો નથી. રોહકે કહ્યું - પિતાજી ! ગ્રામવાસીઓ પર શું કટ આવ્યું છે ? ભરત નટે રાજાની આજ્ઞા વિષેની મુશ્કેલી બતાવી. પિતાની વાત સાંભળીને સેહકે મિત, કરતાં કહ્યું – આ કામમાં શું સંકટ છે ? આ કટને હું હમણા જ દૂર કરી દઈશ. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના એવા રોહકની વાત પર લોકોને વિશ્વાસ શી રીતે આવે ? રોહકે કહ્યું - આપ લોકો મંડપ બનાવવા માટે એ મહાશિલાની ચારે તરફ જમીન ખોદો. પછી તેની ચારે ય બાજુ જ્યાં જયાં જરૂર પડે ત્યાં ત્યાં થાંભલાઓ લગાવી દો. પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારે ય બાજુ સુંદર મજાની કોતરણી યુક્ત દિવાલો બનાવી દો. આ રીતે કરવાથી અતિ સુંદર મંડપ બની જશે. આ છે રાજાની આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ ઉપાય. મંડપ બનાવવાનો સહજ ઉપાય રોહકે બતાવ્યો. તે બધા લોકોને ગમી ગયો. ઉપાય મળી ગયા પછી ભરત, રોહક તેમજ ગ્રામવાસીઓ બધા પોતપોતાના ઘરે ગયાં. ભોજન કર્યા બાદ લોકો ગામની બહાર જયાં મહાશિલા હતી ત્યાં આવ્યા અને ચારે બાજુ ખોદકામ શરૂ કરીને થાંભલાઓ મૂકી દીધા પછી વચ્ચેની જમીન ખોદીને
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy