SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-33 ૩૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હતી. જન આંખોમાં ઠંડક પેદા કરે છે અને તેથી ચક્ષરોગ શાંત થાય છે. એમ તે આચાર્યના દર્શનથી પણ ભવ્યજીવોના નેગોમાં શીતળતા પ્રાપ્ત થતી હતી. માટે સ્તુતિકારે તેના શરીરની કાંતિ વિષે લખ્યું છે. પરિપક્વ દ્રાક્ષના ફળ અને નીલોત્પલ કમળના વર્ણ જેવી તેના દેહની કાંતિ હતી. કુવલય શબ્દનો અર્થ મણિવિશેષ યા નીલકમળ છે. તેમની દીક્ષા સમયે અકુચાવીસ નક્ષત્રો પૈકી રવતિનનો સંયોગ હતો તેથી તેમનું નામ રેવતિનધ્ય રાખ્યું. સૂત્ર-૩૪ : જે અયલપુરમાં દીક્ષિત થયા હતા અને કાલિક શ્રુતની વ્યાખ્યા કરવામાં નિપુણ હતા તથા શૈર્યવાન હતા તેમજ જેણે ઉત્તમ વાચક પદને પ્રાપ્ત કર્યું હતું એવા બ્રાહીપિક શાખાથી ઉપલક્ષિત શ્રી સિંહ આચાર્યને હું વંદન કરું છું. • વિવેચન-૩૪ - આ ગાથાથી ત્રણ વિષય પ્રગટ થાય છે, જેમકે - (૧) કાલિકશ્રુતાનુયોગ (૨) બ્રહ્મપ્લીપિક શાખા (3) ઉત્તમ વાચકપદની પ્રાપ્તિ. કાલિક શ્રુતાનુયોગથી તેઓની વિદ્વત્તા સિદ્ધ કરી છે. બ્રાહીપિકશાખાથી એમ જાણી શકાય છે કે તે સમયે કેટલાક આચાર્યો તે શાખાથી પ્રસિદ્ધ હતા. વાયકપદની સાથે ઉત્તમ પદ લગાવવાથી એમ સિદ્ધ થાય છે કે તે સમયે અનેક આચાર્યો હોવા છતાં દરેક વાચકોમાં તેઓ પ્રધાન વાયક હતા. • સૂત્ર-૩૫ - જેનો આ અનુયોગ એટલે સુકાઈની વાવના આજે પણ (સ્તુતિ કરનાર દેવવાચકના સમયમાં) દક્ષિણuદ્ધ ભરતક્ષેત્રમાં પ્રચલિત છે તેમજ ઘણાં નગરોમાં તેનો યશ ફેલાયેલો છે, તે કંદિલ આચાર્યને હું વંદન કરું છું. • વિવેચન-૩૫ - આ ગાવામાં મહામનીષી, બહુશ્રુત, યુગપ્રધાન, અનુયોગ પ્રચારક એટલે પ્રધાનપણે સૂત્રાર્થની વાસના પ્રદાતા શ્રી સ્કંદિલ આચાર્યને વંદન કરેલ છે. વર્તમામાં જે અર્ધભરત ક્ષેત્રમાં અનુયોગ - સૂત્રાર્થ પરંપરા પ્રચલિત છે તે તેઓશ્રીના પરિશ્રમનું જ મધુર ફળ છે. તાત્પર્ય એ છે કે તેઓશ્રી પોતાના યુગના પ્રધાન સુષાર્થ વાચના દાતા હતા. • સૂત્ર-૩૬ : શ્રી કંદિલ આચાર્ય પછી હિમાલય સમાન વિસ્તૃત છેતરમાં વિચરણ કરનાર અથવા મહાન વિકમશાળી, અસીમ વૈયવિાન અને પરાક્રમી, સુવિશાળ સ્વાધ્યાયના ધાક, આચાર્ય શ્રી સ્કંદિલના સુશિષ્ય આચાર્યશ્રી હિમવાનને હું મસ્તક નમાવીને વંદન કરું છું. • વિવેચન-૩૬ : આ ગાવામાં મહામના પ્રતિભાશાળી ધર્મનાયક પ્રવચન પ્રભાવક હિમવર્ષના નામના આચાર્યને વંદન કરેલ છે અને સાથો સાથ નિમાલિખિત વિશેષણ પણ આપેલ છે. જેમ કે- હિમવાન પર્વતની જેમ બહોત્ર વ્યાપી વિહાર કરનારા હતા. અનેક દેશમાં વિચરણ કરીને, ઉપદેશ દ્વારા અનેક ભવ્ય જીવોને સન્માર્ગે લઈ જતા હતા. એ રીતે જિનમાર્ગને દિપાવતા હતા. અપરિમિત વૈર્ય અને પરાક્રમથી કર્મશત્રુઓને સાફ કરી રહ્યા હતા. આચાર્યમાં અર્થાત્ શ્રમણોમાં અનંત બળ હોવું જોઈએ, તો જ તે પોતાનો ધ્યેય પૂરો કરી શકે છે. અહીં અનંત શબ્દ અપરિમિતઅસીમ શબ્દનો ધોતક છે. સ્વાધ્યાયમાં અનંત શબ્દ પણ તેમના સ્વાધ્યાયની વિશાળતાની પ્રતીતિ કરાવનારો છે અથવા સૂત્ર અનંત અર્થવાળા હોય છે, એમ દર્શાવનાર છે. દ્રવ્ય અનંત પયયાત્મક હોય છે તેથી સ્વાધ્યાયને અનંત શબ્દથી વર્ણવી શકાય છે, એ વાત સ્વયં સિદ્ધ થાય છે. • સૂત્ર-3 : કાલિકો સંબંધી અનુયોગના ધાક, ઉત્પાદ આદિ પૂના જ્ઞાતા, હિમવત પર્વત સદશ મહાન ક્ષમાશ્રમણ, વિશિષ્ટ જ્ઞાની નાગાર્જુનાચાર્યને હું ભાવથી વંદન કરું છું.. • વિવેચન-39 : આ ગાળામાં આચાર્યવયં હિમવાનના શિષ્યરત્ન, પૂર્વધર શ્રીસંઘના નેતા આચાર્ય નાગાર્જુનની સ્તુતિ સાથે વંદના કરેલ છે. આચાર્ય નાગાર્જુન સ્વયં કાલિક શ્રુત એટલે અંગ સૂત્રોના અનુયોગના ધારક હતા અને ઉત્પાદ આદિ કેટલાક પૂર્વોના પણ ધારક હતા. તે હિમવંત અર્થાત્ પર્વત તુલ્ય ક્ષમાવાન શ્રમણ હતા. • સૂત્ર-૩૮ : મૃદુ, કોમળ, આર્જવ વગેરે ગુણોથી સંપન્ન, દીક્ષા પસચિના કમથી અથવા સૂત્ર અધ્યયનના કમથી વાચકદને પ્રાપ્ત થયેલ, ઓધ શ્રત અતિ ઉત્સર્ગ વિધિનું સમ્યફ પ્રકારે આચરણ કરનાર એવા વિશિષ્ટ ગુણસંપન્ન શ્રીનાગાર્જુન વાચકને હું નમસ્કાર કરું છું. • વિવેચન-૩૮ : આ ગાથામાં અધ્યાપનકળામાં નિપુણ, શાંતિસરોવર, વાયક પદથી વિભૂષિત શ્રીનાગાર્જુનનો ઉલ્લેખ મળે છે. તેઓ સકલ ભવ્ય જીવોને પ્રિય લાગતા હતા, માર્દવ શબ્દથી તેઓશ્રીને માદેવ, આર્જવ, શાંતિ, સંતોષ આદિ ગુણોથી સંપન્ન બતાવ્યા છે. નાગાર્જુને અનુક્રમે વય પર્યાયથી અને શ્રુત પર્યાયથી વાચકવ પ્રાપ્ત કર્યું હતું. વાચક નાગાર્જુન ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગ બન્નેના જાણકાર હતા. પહેલાંની ગાથામાં આચાર્ય નાગાર્જુનની સ્તુતિ કર્યા પછી આ ગાળામાં વાચક-ઉપાધ્યાય નાગાર્જુનની સ્તુતિ છે. આ બંને જુદી જુદી વ્યક્તિ છે. કારણ કે જુદા જુદા વંદન કરવામાં આવ્યાં છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy