SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૦ (10) (PROO અરહંત જ જે કેવલી છે, કેટલાંક આચાર્યો છે, જે સમ્યફ સૂત્રાર્થના જ્ઞાતા છે. કેટલાંક ઉપાધ્યાય છે, જે સુગવિ છે, કેટલાંક આ બધાંથી વ્યતિરિક્ત શિષ્ય સાધુ જ છે, અરહંતાદિ નથી. તેથી એક પદના વ્યભિચારથી તુલ્ય અભિધાનતા નથી. તેના નમસ્કારથી બીજાને નમસ્કારનું ફળ ન મળે. સાધુ મામનો નમસ્કાર વિશિષ્ટ અહંતુ આદિ ગુણ નમસ્કારના ફળને પ્રાપ્ત કરાવવામાં સમર્થ નથી. કેમકે તે સામાન્ય અભિઘાન નમસ્કારત્વથી છે, જેમ મનુષ્ય માત્ર કે જીવમાત્રના નમસ્કારવતુ તેમ કહ્યું. તેથી નમસ્કાર પંચવિધ જ છે. | વિસ્તારથી વ્યક્તિ અપેક્ષાથી કવું અશક્ય છે. • x • x • પ્રસિદ્ધિ દ્વાર કહ્યું, હવે કમદ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરતા કહે છે – • નિર્યુક્તિ-૧૦૦૮ + વિવેચન : અહીં પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વી કમ નથી, જો પહેલો ક્રમ માનો તો સિદ્ધાદિ આવે, બીજો ક્રમ માનો તો સાધુ આદિમાં આવે. આિક્ષેપ ગાથા છે.] અહીં ક્રમ બે ભેદે છે – પૂર્વાનુપૂર્વી અને પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી તો ક્રમ જ નથી કેમ કે સમંજસ થાય. સિદ્ધાદિના અનભિધાનથી આ અરહંતાદિ ક્રમની પૂર્ણાનુપૂર્વ ન થાય. એકાંત કૃતકૃત્વત્વથી અહંતુ નમસ્કાર કાર્યત્વથી અને સિદ્ધોના પ્રધાનત્વથી આમ કહ્યું. તે રીતે આ પશ્ચાનુપૂર્વી ક્રમ પણ ન થાય. સાધુ આદિનું અનભિધાનત્વ છે. અહીં બધાંથી પાછળ હોવાથી સાધુઓ પધાનપણે છે. * * * * * હવે પૂર્વાનુપૂર્વીત્વ જ પ્રતિપાદિત કરવા કહે છે – • નિર્યુક્તિ-૧૦૦૯ વિવેચન : અરહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે. પ્રત્યક્ષાદિ ગોયર અતિકમીને તેના વડે અરહંતાદિ પૂવનુપૂર્વી ક્રમ જણાય છે. તેથી જ રિહંત અગ્રહિતત્વથી કૃતકૃત્ય અને અલ્પકાળ વ્યવહિતત્વથી પ્રાયઃ સમાન જ છે. તથા અરહંત નમસ્કાયવ પણ અસાધન છે. અરહંતનમસ્કાર પૂર્વક સિદ્ધત્વના યોગથી અરહંત પણ વસ્તુત: સિદ્ધ નમસ્કાર્યત્વથી પ્રધાનપણે છે, તે ભાવના છે. - X - X - અહીં અરહંત અને સિદ્ધ પરમનાયક રૂપથી છે, આચાર્યો તેમની પર્ષદા સમાન છે. ક્યાંય પહેલા પર્ષદાને પ્રણામ કરીને પછી રાજાના પ્રણામ હોતા નથી. • X - કમ દ્વાર કહ્યું. હવે પ્રયોજન ફળ દર્શાવતા કહે છે – • નિયં-૧૦૧૦ વિવેચન - અહીં નમસ્કાર કરવામાં આ પ્રયોજન છે – કર્મનો ક્ષય અને મંગલનું આગમ. તેમાં ઇલૌકિક અને પારલૌકિક બે ભેદે ફળ છે. કરણકાળમાં જે કહ્યું - "ક્ષવ - જ્ઞાનાવરણીય આદિ કર્મનો પગમ, અનંત પદગલના અપગમ પછી ભાવથી ન કાર માની પ્રાપ્તિ ઈત્યાદિ કહી છે તથા મંગલ આગમ પણ કહેલ છે. તે કાલાંતર ભાવિ અને ઈલૌકિક તથા પારલૌકિક ભેદથી બે પ્રકારે ફળ છે, તેમાં વચમાણ લક્ષણ-દષ્ટાંત છે. • નિયુક્તિ-૧૦૧૧ વિવેચન : આ લોકમાં ફળ અર્થ, કામ, આરોગ્ય, અભિરતી અને નિષ્પત્તિ છે, પરલોકમાં ફળ - મોક્ષ, સ્વર્ગ, સુકુલમાં ઉત્પત્તિ આદિ છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અર્થ, કામાદિ શુભ વિપાકી હોય છે. • x - આ લોકમાં અથિિદ છે પરલોકમાં તે જ શુભાનુબંધિત્વથી નિષ્પન્ન થતુ પુન્યની જાણવી. અથવા અભિરતિ અને નિષ્પત્તિ તે એકવાક્યતા જ છે. • x - અહીં સિદ્ધિ ઈત્યાદિ ક્રમ પ્રધાનફળની અપેક્ષાથી ઉપાય જણાવવા માટે છે. તેથી કહે છે – વિરલો જ એક ભવથી સિદ્ધિને પામે છે. ન પામનારા અવિરાધકો સ્વર્ગ કે સુકુલમાં ઉત્પત્તિ પછી અવસ્થાંતરને પામતા નથી. હવે યથાક્રમે જ અર્થાદિને આશ્રીને ઉદાહરણો કહે છે - • નિયુક્તિ-૧૦૧૨ વિવેચન : આ લોકમાં નિર્દડી, દિવ્ય, માતુલિંગવન જ દષ્ટાંત છે. પરલોકમાં ચંડપિંગલ ચોર અને હુંડિકયક્ષ દૃષ્ટાંત છે. ભાવાર્થ - કથાનકથી જાણવો. નમસ્કાર અથવહ કઈ રીતે? એક શ્રાવક પુત્ર ધર્મ સાંભળતો ન હતો. તે શ્રાવક પણ મૃત્યુ પામ્યો. તે બાળક વ્યવહારાહત જ વિયરતો હતો. કોઈ દિવસે તે શ્રાવક લોકોના ઘર પાસે પરિવ્રાજકો આવ્યા. તેણે તેઓની સાથે મૈત્રી કરી. તેમણે કહ્યું - તું નિરુપહત અનાથમૃતને લઈ આવ, અમે તને ધનવાન બનાવીશું. તે કોઈ એવા મનુષ્ય મૃતકને શમશાને લાવ્યો. તે બાળકને પિતાને નમસ્કાર શીખવેલો અને કહેલું કે જો ડર લાગે તો નવકાર ગણજે. તે પરિવ્રાજકે મૃતકની આગળ વિધા સ્થાપી, મૃતકના હાથમાં તલવાર આપી, પરિવ્રાજક વિધા ભણે છે, વૈતાલ ઉઠવાનો પ્રયાસ કરે છે, તે બાળક ડરથી હૃદયમાં નમસ્કાર બોલે છે. પૈતાલ પડી જાય છે. આવું વારંવાર બનતા તે ત્રિદંડી પરિવ્રાજક તે બાળકને પૂછે છે – કંઈ જાણે છે ? બાળકે કહ્યું - ના. છેલ્લે વ્યંતરે રોષિત થઈને પગ ખેંચી લઈ ત્રિદંડીને જ મારી નાંખ્યો. તે સુવર્ણપુરુષ થઈ ગયો. તે બાળક એ સુવર્ણપુરુષના અંગોપાંગાદિ છુટા-છુટા કરીને ઘેર લઈ જઈને તે નમસ્કારના ફળથી ઐશ્વર્યવાનું થઈ ગયો. જે નવકાર ન ગણ્યા. હોત તો વૈતાલ તેને મારી નાંખત. o કામનિષ્પત્તિ - એક શ્રાવિકા હતી. તેણીનો પતિ મિથ્યાદષ્ટિ હતો, બીજી પની લાવવા માટે રસ્તો શોધતો હતો - તે શ્રાવિકા હોવાથી તેને કોઈ સપળી - શોક મળતી ન હતી. વિચારે છે કે - આને કેવી રીતે મારી નાંખુ ? કોઈ દિવસે ઘડામાં કાળો સર્પ મૂકીને લાવ્યો સંતાડી દીધો. જમીને કહ્યું - ફૂલો લઈ આવ, અમુક ઘટમાં રાખેલ છે. તે શ્રાવિકા ઘરમાં પ્રવેશી, નમસ્કાર નિવકાર મંત્ર] નાશ ન પામે. ઘટમાં હાથ નાંખ્યો, દેવતાએ સપને હરી લીધો, ત્યાં ફૂલની માળા બનાવી દીધી, તેણી લઈને અાવી, તેના પતિને આપી દીધી. તે મિથ્યાર્દષ્ટિ સંભ્રમમાં ચિંતવવા લાગ્યો - આ શું ? તેણે જઈને ઘડો જોયો, તેમાં ફૂલની ગંધ હતી, કોઈ સર્પ ન હતો. તે પગે પડી ગયો, બધી વાત કરી દીધી, ક્ષમા માંગી, પછી તેણી જ ગૃહસ્વામિની થઈ. o આરોગ્ય વડે - એક નગર હતું, નદીના કિનારે કોઈ ખરકર્મિક શરીર ચિંતાને માટે નીકળ્યો. નદીમાં વહેતા બીજોરાને જોયું, રાજાને આપ્યું. તેણે રસોઈયાને આયું, જમવામાં આવ્યું. પ્રમાણથી અતિરિક્ત વર્ણ, ગંધ, ઈત્યાદિ હતા. તે મનુષ્યને ખુશ કર્યો, ભોગો આપ્યા. રાજાએ કહ્યું - નદીમાં શોધવા, જેટલા મળે તે લાવવા. માર્ગનું ભાથું લઈ પુરષો ગયા, વનખંડ જોયું. જે ફળને ગ્રહણ કરે તે મરે છે. રાજાને કહ્યું - લોકો મરે છે, સજાગો વાસ રાખવાનું કહ્યું, જેનું નામ નીકળે તે જાય. એક વખત કોઈ શ્રાવકનો ક્રમ આવ્યો. તેણે વિચાર્યુ કે – કોઈને વિરાધિત શ્રામસ્થ ન થાય. તે માટે rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahal
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy