SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વૈષધિકી કરી નમસ્કારપૂર્વક જાય છે. વ્યંતર વિચારમાં પડ્યો, બોધ પામ્યો. તે ચા બોલ્યો કે હું ત્યાં જ બીજોરુ આપી જઈશ. રાજાને વાત કરી - ૪ - એ પ્રમાણે તે શ્રાવકને અભિરતિ - ખુશીની નિષ્પત્તિ થઈ, ભોગો પણ પામ્યો, જીવિત પણ ટક્યું, તો આરોગ્યનું તો પૂછવું જ શું? પરલોકમાં નમસ્કારનું ફળ : વસંતપુર નગરમાં જિતમ્ રાજા હતો, તેની ગણિકા શ્રાવિકા હતી. તે ચંડપિંગલ ચોર સાથે રહેતી હતી. કોઈ દિવસે તેણે રાજાને ઘેર ચોરી કરી અને હાર ચોરી લાવ્યો. ડરેલા એવા તેમણે ગોપવી દીધો. અન્ય કોઈ દિવસે ઉજૈની જવાનું થયું, ગણિકા સર્વતયા વિભૂષિત થઈને ચાલી, તે બધાંથી અતિશયવાળી લાગતી હતી. તેણીએ હાર પહેર્યો. સણીની દાસ જાણી ગઈ. રાણીને કહ્યું. ચંડપિંગલ પકડાયો, શૂળીએ ચડાવી દીધો. ગણિકાને થયું મારે કારણે માનું મૃત્યુ થશે. તેણીએ ચંડપિંગલને નમસ્કાર આપ્યો. તેણે નવકાર ભણતાં નિયાણું કર્યું કે આ જ સજાના પુત્ર રૂપે ઉત્પન્ન થવું. અગમહિષીનો પુત્ર થયો. તે ગણિકા શ્રાવિકા તેને ક્રીડા કરાવનાર માતા થઈ, કોઈ વખતે વિચાર આવ્યો કે ગર્ભકાળ અને મરણકાળા સમાન છે, કદાચ તે ચોરનો જ જીવ હોય. તે બાળક રડે ત્યારે શ્રાવિકા કહેતી અંડપિંગલ રડ નહીં. તે બોધ પામ્યો. રાજાના મૃત્યુ પછી તે સજા થયો. ઘણાં કાળ પછી તે બંનેએ દીક્ષા લીધી. આ સંકુલમાં જન્મ. o અથવા બીજું દષ્ટાંત – મયુરા નગરીમાં જિનદત શ્રાવક હતો. ત્યાં હુંડિક નામે ચોર હતો. નગર લુંટતો, કોઈ દિવસે પકડાઈ ગયો. શૂળીએ ચડાવ્યો. તેને સહાય કરનારને પણ પકડી લેવાના હતા. જિનદત્ત શ્રાવક તેની સમીપથી પસાર થયો. ચોરે તેને કહ્યું - હે શ્રાવક ! તું અનુકંપાવાળો છે, મને તૃપા લાગી છે. મને પાણી આપ તો હું શાંતિથી મરું શ્રાવક બોલ્યો - તું આ નમસ્કાર ગણ, તેટલામાં પાણી લાવી આપું, જે નવકાર ભૂલી જઈશ તો પાણી લાવવા છતાં પણ નહીં આપું. તે લોલુપતાથી નવકાર ગણે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હમણાં પાણી પાશે તેથી નવકાર મોટેથી બોલતા તેનો જીવ નીકળી ગયો. યક્ષ રૂપે ઉતપન્ન થયો. તે શ્રાવકને રાજાના પુરુષોએ પડી લીધો. રાજાએ કહ્યું - આને પણ શૂળીએ ચડાવી દો. યક્ષે અવધિજ્ઞાનથી જોયું, શ્રાવકને અને પોતાના શરીને જોયું. પર્વત ઉપાડ્યો, નગરની ઉપર ઉભો રહ્યો. મને ઓળખો છો ? આ શ્રાવકને છોડી દો નહીં તો બધાંનો ચૂરો કરી દઈશ. ઈત્યાદિ - x - નમસ્કારથી આવું ફળ પામે. હવે સૂત્રના ઉપન્યાસ અર્થે પ્રત્યાસત્તિ યોગથી વસ્તુતઃ સૂત્ર સ્પર્શ નિયુક્તિગતા જ ગાથા કહે છે – (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33AL. છે અધ્યયન-૧-“સામાયિક @ - X - X - X - X - X - X -x - o હવે સૂકપર્શિક નિયુક્તિ કહે છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન : “iદી અને અનુયોગદ્વાર તથા વિધિવત્ ઉપોદ્ધાત જાણીને પંચમંગલ કરીને સૂત્રનો આરંભ થાય છે.” - X - X - પંચમંગલ રૂપ નમસ્કાર કરીને સૂઝનો આરંભ થાય છે. અહીં નંદિ આદિનો ઉપન્યાસ વિધિ અને નિયમને જણાવવા માટે છે. મંદિ આદિ જાણીને જ કે ભણીને જ પણ અન્ય રીતે નહીં. ઉપોદ્ભાત ભેદોપન્યાસ પણ સર્વ પ્રવચન સાધારણત્વથી તેના પ્રધાનતત્વથી છે. • x • સંબંધાંતર પ્રતિપાદનાર્થે હવે આ કહે છે – • નિયુક્તિ૧૦૧૪ વિવેચન : “પાંય નમસ્કાર કરીને શિષ્ય સામાયિક કરે – એ આગમ છે” – એમ કહ્યું. નમસ્કાર સામાયિકનું જ અંગ છે, તેથી શેષ સૂત્રને હું કહીશ. - X - X - જેણે પંચ નમસ્કાર કરેલ છે, તેવા પ્રકારનો શિષ્ય સામાયિક કરે છે. તે પંચ નમસ્કાર કહ્યો. આ સામાયિકનું જ માંગ છે. સામાયિક અંગતા પૂર્વે કહી. - X - X -- • સૂત્ર-૨ - હે ભદેતા સામાયિક સ્વીકાર કરું છું. જાવજીવને માટે સર્વે સાવધ યોગના પચ્ચક્ખાણ કરું છું. કેિવી રીતે ?] ગિવિધ, વિવિધ વડે અથ]િ મન, વચન, કાયા વડે હું ]િ કરું નહીં કરાવું નહીં, કરનારને અનુમોદુ નહીં હે ભદંત હું તેને પ્રતિકમું છું વંદુ છું ગહું છું. મારા તે ભૂતકાલીન પર્યાયરૂપ આત્માને વોસિરાવું છું. • વિવેચન-૨ : અહીં સૂવાનુગમ જ અહીનાક્ષર આદિ ગુણયુક્ત કહેવું જોઈએ. તે આ પ્રમાણે - હીન અક્ષર નહીં, અતિ અક્ષર નહીં, અવ્યાવિદ્ધ અક્ષર, અખલિત, અમિલિત, અવ્યત્યામેડિત, પ્રતિપૂર્ણ, પરિપૂર્ણઘોષ ઈત્યાદિ • X - X - વ્યાખ્યા લક્ષણ - સંહિતા, પદ, પદાર્થ, પદ વિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ શાસ્ત્રની વ્યાખ્યા છે ભેદે છે. તેમાં (૧) ખલના વિના પદોનું ઉચ્ચારણ કરવું અથવા બીજાનો સંનિકર્ષ તે સંહિતા. જેમકે કfક તે સમય ઈત્યાદિ. (૨) પદ - પાંચ પ્રકારે છે, તે આ રીતે - નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આધ્યાતિક, મિશ્ર. તેમાં અશ્વ એ નામિક છે ઈત્યાદિ પૂર્વવતું. તેમાં - હે ભદંત! હું સામાયિક કરું છું ઈત્યાદિ સૂત્ર પદો કહ્યા. હવે પદાર્થ - તે ચાર ભેદે છે, તે આ પ્રમાણે - કારક, સમાસ, નિરતિ અને તદ્ધિત વિષયક, તેમાં કાકવિષયક તે પર્વત ત્તિ પર્વ • x x x • વગેરે. રોમિ - સ્વીકાર કરવાના અર્થમાં છે - x - મયત - ભયનો અંત કરનાર. • x • સાવધ - અવધ અર્થાત પાપ સહિત. યોજાય તે યોગ અર્થાત વ્યાપાર, તેના પચ્ચકખાણ કરું છું. પ્રતિ મુનિ દીપરત્નસાગરે કરેલ નમસ્કાર નિયુક્તિનો સટીક અનુવાદ પૂર્ણ 0 મા-ષિમુક્તિની ગાથા-૮૮૭ થી ૧oo૫ ભાગ-ર-માં છે. અને ગાના ૧oo૬ થી ૧૦૧ર આ ભાગ-૩માં છે. o
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy