SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ બીજા દેહમાં સંક્ર્મણ કરે છે. [૧૩૫૦ થી ૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાતાપ કરવાનો પ્રસંગ સાંધશે, ઈંદ્ર ધનુષ, વિજળી, દેખતાંજ ક્ષણમાં અદૃશ્ય થાય તેવાં સંધ્યાના રાગો અને સ્વપ્ર સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા ક્ષણભંગુર દેહથી છૂટારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર ષ્ટકારી ઘોર તપનું સેવન કરો. આયુક્રમ ક્યારે તુટશે તેનો ભરોસો નથી. ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિ વિપુલ પ્રમાણમાં સંયમનું સેવન કરનારને પણ છેલ્લે કંડરિની જેમ ક્લિષ્ટ ભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને શ્રામણ્ય ગ્રહણ કર્યુ હોય તે પ્રમાણે પુંડરિક મહર્ષિવત અલ્પકાળમાં કાર્યને સાધી લે. [૧૩૫૫, ૧૩૫૬] જન્મ, જરા, મરણના દુઃખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એકાંત ઉપદેશ ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ ! સર્વ પ્રકારે અને સર્વ ભાતોથી મોક્ષ મેળવવા માટે મળેલો માનવમત સાર્થક કરવો. Jain Education International મહાનિશીથ સૂત્ર અધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy