SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અનેક પ્રમાદવાળા આલંબનોને વિશે સર્વ ભાવો અને ભાવાંતરોથી અત્યંત મુક્ત થયેલો હોય. માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપો કર્મ, ધ્યાન, સ્વાધ્યાય, સુંદર ધર્મના કાર્યોમાં અત્યંતપણે સ્વ બળ, વીર્ય, પરાક્રમ ન છપાવતો અને સમ્યગ્ર પ્રકારે તેમાં સર્વરણથી તન્મય બની જાય, સુંદર ધર્મના આવશ્યકો વિશે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવ દ્વારોને સારી રીતે બંધ ક્રનારો થાય. જ્યારે ઉક્ત પ્રારનો થાય ત્યારે પોતાના જીવ-વીર્યથી અનાદિભવમાં ફરતાં ફરતાં એઠાં કરેલા અનિષ્ટ દુષ્ટ આઠે કર્મોના સમૂહને એકાંતે નાશ કરવા કટિબદ્ધ થયેલ લક્ષણવાળો, ક્રમપૂર્વક યોગોનો રોલ ક્રીને બાળી નાંખેલ કર્મવાળો, જન્મજરા-મરણ સ્વરૂપ ચાર ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુક્ત થયેલો, સર્વદુઃખથી મુક્ત થયેલો હોવાથી ત્રિલોક્ના શિખર સ્થાનરૂપ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય. ગૌતમ ! આ કારણે કહ્યું કે – આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત્ત અને પદો સમાઈ ગયેલા સમજવા. [૧૩૮૦] ભગવન્! તે આવશ્યકો ક્યા છે ? ચૈત્યવંદન આદિ ભગવન! ક્યા આવાયકમાં વારંવાર પ્રમાદ દોષથી ઝળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન ક્રવામાં આવે અથવા યથોક્તકાળે વિધિથી સમ્યક્ પ્રકારે ચૈત્યવંદનાદિ ન ધે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન ક્રે, નિષ્પન્ન ન થાય, વિલંબથી રે, બિલકુલ ન કરે કે પ્રમાદ રે તો તેમ ક્રનારને કેટલું પ્રાયશ્ચિત્ત કહેવાય ? ગૌતમ ! જે કોઈ ભિક્ષુ કે ભિક્ષણી યતનાવાળા ભૂતકાળના પાપની નિંદા અને ભાવિાળમાં અતિચારો ન ક્રનાર, વર્તમાનમાં અણીય પાપ કર્મો ન ક્રનાર, અણીય પાપ તજનાર, સર્વદોષથી રહિત થયેલ, પાપ કર્મના પચ્ચખાણયુક્ત, દીક્ષાથી માંડીને પ્રતિદિન જીવજીવ પર્યન્ત અભિગ્રહો ગ્રહણ ક્રનાર અતિશય શ્રદ્ધાવાળા ભક્તિ પૂર્ણ હૃદયી કે યથોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ ક્રતો, બીજા કશામાં મન ન પરોવતો. એકાગ્રચિત્તવાળો, તેના જ અર્થમાં મનની સ્થિરતા ક્રનાર, શુભ અધ્યવસાયવાળા સ્તવન અને સ્તુતિ કહેવા પૂર્વક ત્રણે કાળે ચૈત્યોને વંદન ન . તો એક વખતના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, બીજી વખત તે કારણે જ છેદ પ્રાયશ્ચિત્ત, ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિ રે તો બીજાને અશ્રદ્ધા થાય માટે મોટું પ્રાયશ્ચિત્ત હેલું છે. જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો, ફૂલોનો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો રે, જાવે કે અનુમોદે, છેદે-છેદાવે કે છેદનારને અનુમોદે તો આ સર્વે સ્થાનકોમાં ઉપસ્થાપના, ઉપવાસ, ચોથા ભક્ત, આયંબિલ, એકસણું, નિવિ ગાઢ-અગાઢ ભેદથી અનુક્રમે જાણવા. [૧૩૮૧ જે કોઈ ચૈત્યોને વાંદતો, તેની સ્તુતિ કરતો કે પાંચ પ્રકારનો સ્વાધ્યાય ક્રતો હોય. તેને વિન રે કે અંતરાય રે-વે કે અનુમોદે તો તેને તે સ્થાનકોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy