SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-J૮૯૫ થી ૯૦૦ ૧૨૫ [૮૯૫ થી ૯૦૦] ભગવન્ ! માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ ક્યા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા કાંચન સમાન કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ કુતુહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલ છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન રું, આઠગણું તપ કરૂં, ભૃગુપાત કરવા અનશન ં, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી મને દેવતા નિવારણ કરશે અને હેશે કે તું લાંબા આયુવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ-રજોહરણ ગુરુ મહારાજને પાછું અર્પણ કરી. બીજાન અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફળ ભોગવીને પછી ઘોર વીર તપનું સેવન કરજે. [૯૦૧ થી ૯૦૫] અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા રવી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને હલકો બનાવી દઈશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને પાછો માયાવી વ્હેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબલિ, વીશ વર્ષ સુધી બબ્બે માસલાગલગાટ ઉપવાસ અને પારણે આયંબલિ, ૨૫ વર્ષ ચાંદ્રાયણ તપ, પૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ, અટ્ટમ અને ચાર ઉપવાસ આવા પ્રકારે મહાઘોર પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહીં કરીશ, આ પ્રાયશ્ચિત અહીં ગુરુ મહારાજના ચરણમાં રહીને કરીશ. [૯૦૬ થી ૯૦૯] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય ? અથવા તીર્થંોએ આ વિધિ શા માટે ક્મેલ હશે ? હું અનો અભ્યાસ રું છું અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો. તે સર્વ હકીક્ત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન ર્યું. તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટકારી ઘોર પ્રાયશ્ચિત સ્વમતિથી કર્યું. તમે કરીને શલ્યવાળો તે મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. ગૌતમ ! જો તેણે ગુરુ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલું પ્રાયશ્ચિત સેવ્યું હોત તો નવ ગૈવેયકે ઉપરી વિમાનમાં જાત. અમારા આગમસુત્તાળિ ભાગ-૩૯, મહાનિશીદ્દ માં ભૂલથી અનુક્રમ ૯૧૦ ને બદલે ૧૦૦૦ છપાયું છે. તેથી તે ક્રમાંક બધે ચાલુ રાખ્યો છે. [૧૦૦૦ થી ૧૦૦૩] વ્યંતર દેવથી આવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં રાજાને ઘેરગધેડારૂપે જન્મશે. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટનના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉપજ્યો. તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભોગે કૃમિથી ખવાતો હે ગૌતમ આહાર ન મળવાથી, વેદના ભોગવતો, પૃથ્વી ચાટતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy