SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 સંયમના સાગરમાં પુત્રરૂપી વહાણને સ્થાપી વિદાય આપી નિસ્તેજ ચહેરાવાળી વિમુખ થયેલી ભદ્રા ઘરે ગઇ. || ૬૩ // પુત્ર વગરનું ઘર તેને ભેંકાર લાગવા માંડ્યું. જાણે કલ્પવૃક્ષ વગરનું નંદનવન ! જાણે ઇન્દ્ર વગરનો દેવલોક ! જાણે ચંદ્ર વગરનો આકાશ ! જાણે રાજા વગરનો દેશ ! // ૬૪ // રક્ષણ અંગે શાલિભદ્રની પત્નીઓ ભદ્રાને ખૂબ જ ચિંતાનું કારણ થઇ પડી. જેમ પર કાયમાં પ્રવેશ કરનાર યોગીની કાયા ચિંતાનું કારણ થઇ પડે. (પરકાયમાં પ્રવેશ કરનાર યોગીનું મૃતક જેવું શરીર ખૂબ જ સંભાળવું પડે. જો તે મૂળ શરીર નષ્ટ થઇ જાય તો બીજા શરીરમાં રહેલા યોગીને ભારે મુસીબત થઇ જાય. યોગીના નિષ્માણ શરીરની જેમ અહીં પતિહીન પુત્રવધૂઓને પણ ખૂબ જ કાળજીપૂર્વક સંભાળવાની છે.) || ૬૫ || સેનાપતિ વગરનું સૈન્ય, જ્ઞાન વગરની ક્રિયા, મૂળ અને મંત્ર વગરની વિદ્યા, ભાગ્ય વગરના ગુણો, યુથાધિપતિ વિનાની હાથણીઓની જેમ શાલિભદ્ર વગરની તેની બત્રીશ ઉદાસ પત્નીઓ વિચારવા લાગી. // ૬૬ // ૬૭ /. શાલિભદ્રની ગુણ-સુગંધ ધારવા છતાં ધર્મકળા વગરના અને મંગળ વગરના આપણે ખળાની ધરતી જેવાં જ થયાં. ગૌણાર્થ : ચોખાની સુગંધ ધારવા છતાં અંકૂરા કે ફૂલ રહિત અને ધાન્ય રહિત અમે ખરેખર ખળાની ભૂમિ છીએ. / ૬૮ || 82828282828282828282828282828282888 // ૪૭૦ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy