SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગૌણાર્થ : તું ઉભયપદી ધાતુ છે. તારે પરમૈપદ અને આત્મપદ બંને રૂપો સાચવવાનાં છે. || ૭૮ || તારા ધનાઢ્ય થનારા પિતાએ કાશની સોટીની જેમ લક્ષ્મી સાત ક્ષેત્રોમાં વાવી (વાપરી). અને તે શેરડી જેવી બની. (કાશયષ્ટિ સાત વાર વાવવામાં આવે ત્યારે તે શેરડી થઈ જાય છે.) || ૭૯ // કુળના વનમાં કપૂરના વૃક્ષ સમા સર્વાગ સુંદર ઓ પુત્ર ! તું પણ દાનની સુગંધથી સઘળી દિશાઓ ભરી દે-લોકોની સર્વ આશાઓ પૂરી કરી દે. || ૮૦ || જેમ નિંદાત્યાગથી જગત વશ થાય છે સંગીતથી જેમ પૂજા ઉત્તમ ફળ આપે છે. મા-બાપની ભક્તિથી જેમ મહાન ધર્મ થાય છે સંતોષથી જેમ પરમ સુખ મળે છે જેમ આ આપણું સુખ, સુખ આપવાથી વધે છે, તે જ રીતે સમૃદ્ધ શ્રાવકો દાનાદિ ચતુર્વિધ ધર્મની સાધના કરે છે. (અત્યારે સમૃદ્ધિ ધર્મના પ્રભાવથી મળી છે. વળી સમૃદ્ધિની અવસ્થામાં પણ દાનાદિ ધર્મ ચાલુ છે માટે ભાવિમાં પણ સમૃદ્ધિ મળશે.) | ૮૧ || ૮૨ // સિંહ કિશોર સમા તેં જયારે આપણો કુલ-પર્વત શોભાવ્યો, ત્યારે જ તારા પુણ્યશાળી અને બુદ્ધિશાળી પિતા પણ પોતાનું કાર્ય કરી શક્યા. (અર્થાતુ-તેં જો આ કુળનો ભાર ન સંભાળ્યો હોત તો તારા પિતા પણ દીક્ષા લઇ શક્યા ન હોત. એટલે કુળનો ભાર સંભાળવો એ પણ પુણ્યનું કામ છે.) || ૮૩ //. પિતાના માર્ગના મુસાફર ઓ વત્સ ! જયાં લક્ષ્મી અને કલ્યાણ સ્થિર થઇને રહેલાં છે, તે કુળને તું પંડિતોને આનંદકારી પુત્રથી અલંકૃત કર. (અર્થાતુ તારે પુત્ર થઇ જાય પછી દીક્ષા લેજે.) 8A%A88888A YAUAAAAAAAA / ૪૪૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy