SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 આગમમાં સાધુને મેરુ સમાન અને શ્રાવકને સરસવ સમાન કહેલા છે. તો હે મા ! હું શ્રાવક-ધર્મના પાલનથી કૃતકૃત્ય શી રીતે થાઉં ?-સરસવ જેવો નાનો શા માટે થાઉં ? || ૬૭ //. મારા મનની ભૂમિમાં સાત તત્ત્વરૂપી સાત ધાન્ય જે ઊગ્યાં છે તે ચારિત્ર-મંદિરની સ્થાપનાની યોગ્યતા બતાવે છે. (શિલ્પશાસ્ત્ર પ્રમાણે જયાં પ્રાસાદ બાંધવાનો હોય તે ભૂમિ પર સાત ધાન્ય વાવવાનાં હોય છે.) || ૬૮ //. તો ઓ બા ! હવે ખોટાં કારણો ઊભાં કરી મોડું કરશો નહિ. ફૂલની માળાઓમાં ચંપાનાં ફૂલની માળાની જેમ વીરમાતા બનો. || ૬૯ // શાલિભદ્રના તે વચનના વાવાઝોડાથી પાન વગરની વેલડીની જેમ અતિ વ્યથિત થયેલી ભદ્રા જોરદાર ચકરી ખાઇને ધરતી પર ઢળી પડી. // ૭૦ // મારવાડની માછલી કરતાંય દીન, રોગી મુસાફર કરતાંય ક્ષીણ ભદ્રાએ મૂચ્છ જયારે દૂર થઇ ત્યારે મૌન મૂક્યું. (અર્થાત્ બોલી.) || ૭૧ // ઓ બેટા ! લક્ષ્મીના મંડપરૂપ તારી ઉપર મારા વાત્સલ્યની પ્રૌઢ વેલડી રહેલી છે, તો મારા પર જ સંતાપના ઉપાયરૂપ તારી આ ચેષ્ટા કેમ ? || ૭૨ છે. હે પુત્ર ! તું તો કુલરૂપી કેસરના ક્યારામાં કુંકુમના ગુચ્છા જેવો છે. સ્વ-પરનું રંજન કરનારો છે. તે વૈરાગ્ય માટે કેમ બન્યો છે ? 8A%A88888A YAUAAAAAAAA / ૪૪૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy